ટીમ ઈન્ડિયાનાં ઓપનર બેટ્સમેન રોહિત શર્માનાં બેટમાંથી રન આવતા અટકી ગયા છે જેથી તેનો ફ્લોપ શો છેલ્લી ઘણી ઈનિંગથી જોવા મળી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટમાં પણ રોહિતનું બેટ શાંત રહ્યું હતું.
કંગાળ પ્રદર્શનથી ક્રિકેટ વિશેષજ્ઞ સવાલ ઉઠાવી રહ્યાં છે
2013માં વેસ્ટઈન્ડિઝ સામે કર્યું હતું ટેસ્ટ ડેબ્યુ
ફેન્સને રોહિત શર્માથી હતી આશાઓ
ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે ત્યારે તેનાં દોષનો ટોપલો ફેન્સ રોહિત શર્મા પર થોપી રહ્યાં છે. રોહિત શર્મા બંને ઈનિંગમાં બેટીંગ કરવામાં મુશ્કેલી અનુભવતો હતો અને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં ભારતને જ્યારે 420 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યારે ફેન્સે રોહિત શર્માથી ખૂબ આશાઓ હતી પણ બીજી ઈનિંગમાં તે ફક્ત 12 રનમાં આઉટ થઈ ગયો હતો જ્યારે પહેલી ઈનિંગમાં ફક્ત 6 રન બનાવી શક્યો હતો.
8 ઈનિંગમાં ફક્ત 174 રન બનાવી શક્યો
રોહિત શર્માના કંગાળ પ્રદર્શન પર ક્રિકેટ વિશેષજ્ઞ સવાલ ઉઠાવી રહ્યાં છે. રોહિત શર્મા છેલ્લી 8 ઈનિંગમાં ફક્ત 174 રન બનાવી શક્યો છે. જેમાં ફક્ત એક અર્ધશતક છે. રોહિતનાં બેટથી છેલ્લો શતક ઓક્ટોબર 2019માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ નીકળ્યો હતો. ત્યારે તેણે રાંચી ટેસ્ટમાં ડબલ સેન્ચ્યુરી લગાવી હતી.
છેલ્લે 2019માં શતક બનાવ્યું હતું
રોહિત શર્માએ પોતાનાં ટેસ્ટ કરિયરની શરુઆત 2013માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કરી હતી. કોલકાતામાં ડેબ્યૂ કરતા રોહિતે 177 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટમાં પણ તેણે 111 રન બનાવ્યા હતા. ત્યારબાદ રોહિત મિડલ ઓર્ડરમાં સતત નિષ્ફળ રહ્યો હતો. જ્યારે બીજા ક્રિકેટ ફોર્મેટમાં રોહિત ઓપનર તરીકે શાનદાર પ્રદર્શન આપી રહ્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ હતો
2019માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રોહિત પહેલી ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેણે એ ટેસ્ટમાં 176 અને 127 રનની ઇનિંગ રમી હતી. રોહિતે પૂરી ટેસ્ટ સિરીઝમાં એક બેવડી સદી સહિત ત્રણ શતક બનાવ્યા હતા. ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં રોહિત સૌથી વધારે 529 રન બનાવી મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.
35 મેચમાં ફક્ત 8 શતક
રોહિત શર્માએ 35 ટેસ્ટ મેચોમાં અત્યારસુધીમાં ફક્ત 6 શતક બનાવ્યા છે. જ્યારે તેનું વન ડે કરિયર વિપરિત છે. રોહિતનાં નામે વનડેમાં 29 શતક છે અને 9 હજાર રન તેનાં નામે છે. રોહિત વન ડે મેચોમાં ત્રણ બેવડી સદી લગાવનાર એકમાત્ર બેટ્સમેન છે. પણ તેમ છતાં રોહિત શર્માનું હાલનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક છે.