મહિસાગરના વીરપુરમાં વધુ એક ખેડૂત પર ડુક્કરે હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધને 17 ટાંકા આવ્યા હતા.
મહીસાગરના વીરપુરમાં વધુ એક ખેડૂત પર ડુક્કરનો હુમલો
કુંભારવાડી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધ પર કર્યો હુમલો
60 વર્ષીય વૃદ્ધ પર ડુક્કરે હુમલો કરતા 17 ટાંકા આવ્યા
મહિસાગરના વીરપુરમાં ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પર એક ડુક્કરે હુમલો કર્યો હતો. ત્યારે કુંભારવાડી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધ પર ડુક્કરે અચાનક હુમલો કર્યો હતો. તાલુકામાં વધી રહેલા જંગલી ડુક્કરના હુમલાથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે 60 વર્ષીય વૃદ્ધ પર ડુક્કરે હુમલો કરતા 17 ટાંકા આવ્યા હતા. ડુક્કરો ખેડૂતોની ખેતીને ભારે નુકશાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતને ડુક્કર કરડ્યા બાદ ઈંજેક્શન ન મળતા ખેડૂતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
ખેડૂતોમાં ભયનો માહોલ
અવાર નવાર વીરપુરમાં ખેતરમાં કામ કરી રહેલ ખેડૂતો પર ડુક્કરનાં હુમલા કરવાના બનાવ બને છે. જેથી ખેડૂતોમાં ભયના માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં ડુક્કર કરડ઼તા ઈંજેક્શન પણ સરકારી હોસ્પિટલમાં ન હોઈ ખેડૂતને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોને તાત્કાલીક મળવી જોઈએ તે પ્રાથમિક સુવિધા પણ તેઓને ન મળતા ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.