લખીમપુર ખીરી ઘટનાની તપાસ માટે રાજ્યપાલે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ પ્રદીપકુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. સિંગલ કમિશન બે મહિનામાં તેની તાપસ પૂર્ણ કરશે
હાઈકોર્ટના નિવૃત જજ પ્રદીપકુમાર શ્રીવાસ્તવ કરશે સમગ્ર ઘટનાની તપાસ
લખીમપુર ખીરીની ઘટનાની તપાસ એક જ કમિશન કરશે
આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
લખીમપુર ખીરીની ઘટનાની તપાસ એક જ કમિશન કરશે
અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ લખીમપુર કેસની તપાસ કરશે. રાજ્યપાલ આનંદીબેન પટેલે તપાસ માટે પ્રદીપકુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. માત્ર એક જ કમિશન આ મામલાની તપાસ કરશે. તપાસ પંચનું મુખ્યાલય લખીમપુરમાં બનશે. કમિશને તેની તપાસ 2 મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
બીજી બાજુ, સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓમોટો સંજ્ઞાન લીધી છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ આજે આ મામલાની સુનાવણી કરશે. આ કેસનું શીર્ષક 'લખીમપુર ખેરીમાં હિંસા જીવનના નુકશાન તરફ દોરી જાય છે' તરીકે રાખવામાં આવ્યું છે. જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલી પણ બેન્ચના સભ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
શું છે સમગ્ર ઘટના
ઉલ્લેખનીય છે કે રવિવારે લખીમપુર ખીરીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવવાનો વીડિયો સામે આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાડી આશિષ મિશ્રા ચલાવી રહ્યો હતો. જો કે ટેની અને આશિષ બન્નેએ આ વાતથી ઈન્કાર કર્યો છે. આશિષે ડોળ કરતા કહ્યું કે તેમની સામેની એફઆઈઆરની જાણકારી નથી.
તમામ 8 લોકોને 45-45 લાખ વળતર અપાયું
યોગી સરકારે લખીમપુર ખીરી ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 8 લોકોને વળતર તરીકે 45-45 લાખની રકમ આપી હતી. તેમાં 4 ખેડૂતો, 2 ભાજપના કાર્યકરો, એક ડ્રાઈવર અને એક પત્રકાર સામેલ હતા. તમને જણાવી દઈએ કે આ શરત પર સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ હતી. આ સિવાય ઘાયલોને 10 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ મૃતક ખેડૂતોના પરિવારમાંથી દરેક વ્યક્તિને યોગ્યતા મુજબ સરકારી નોકરી મળશે.