બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics / resignation of Nationalist Congress Party President Sharad Pawar Ajit Pawar statement
Kishor
Last Updated: 04:41 PM, 2 May 2023
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ સર્જી દે તેવા સમાચાર સમાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે આજે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામુ ધરી દીધું છે. શરદ પવારના આ નિર્ણય બાદ ભત્રીજા અજીત પવારનું નિવેદન સામે આવ્યું છે. જેઓએ કહ્યું ઉંમરને ધ્યાનમાં રાખીને શરદ પવારે આ નિર્ણય લીધો છે. જે પરત નહિ ખેંચે! હવે પક્ષમાં નવા નેતૃત્વને સ્થાન આપવું જોઈએ.
"Pawar Saheb himself had said about the necessity of change in guard a few days back. We should see his decision in the light of his age and health also. Everyone has to take a decision according to time, Pawar Saheb has taken a decision and he won't take it back," says NCP… pic.twitter.com/zn4cnhbX0k
— ANI (@ANI) May 2, 2023
તેમની ધીરજનો અંત આવી રહ્યો છે: અજીત પવાર
અજીત પવારે વધુમાં કહ્યું કે શરદ પવાર ભલે અધ્યક્ષ ન હોય છતાં પણ પાર્ટી પોતાનું કામ કરતી રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે શરદ પવારને નિર્ણય પાછો ખેંચવા માટે અપીલ ન કરો. હવે તેમની ધીરજનો અંત આવી રહ્યો છે. અજીત સવારે કહ્યું કે રાજીનામાં બાદ શરદ પાવર કહી રહ્યા છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે પવારને મંજુર છે. તો ભાવુક થવાની જરૂર નથી આજે કે કાલે આ થવાનું જ હતું. જેથી મારી વિનંતી છે સાહેબને પોતાના વિચાર મુજબ આગળ વધવા દો!
તેઓ આ નિર્ણયમાં પીછે હટ નહિ કરે!
અજીત પવારે વધુમાં કોંગ્રેસના ઉદાહરણને ટાંકીને કહ્યું કે શરદ પવાર અધ્યક્ષ નથી તેનો મતલબ એ નથી કે તેઓ પાર્ટીમાં નથી. જેમ કોંગ્રેસમાં અધ્યક્ષ તરીકે ખડકે છે પરંતુ પાર્ટી સોનિયા ગાંધી ચલાવે છે તેમ કોઈપણ એનસીપીમાં નવા અધ્યક્ષ આવશે તે શરદ પવારના માર્ગદર્શન હેઠળ જ કામ કરશે. મેં તેમની સાથે વાત કરી છે પરંતુ તે આ નિર્ણયથી હટશે નહીં. અમે બધા નવા પ્રમુખને સમર્થન આપીશું. અમે પરિવાર છીએ અને રહીશું. જે પરિવારના વડા તરીકે શરદ પવાર છે.
એનસીપીના નેતાઓ કાર્યકર્તાઓ નિર્ણયથી નારાજ
બીજી તરફ એનસીપીના નેતાઓ કાર્યકર્તાઓ અને શરદ પવારના સમર્થકો આ નિર્ણય પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જેને લઈને નાના પટોલે કહ્યું કે એનસીપીનો આ આંતરિક મામલો છે. તેમણે શા માટે રાજીનામું આપ્યું તે માત્ર તેઓ જ કહી શકશે. જે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે નવા અધ્યક્ષ કોણ હશે તે નક્કી કરવાનું છે. વધુમાં શરદ પવાર મોટા નેતા છે અને ભાજપ તથા કેન્દ્ર સામે તેમની ભૂમિકા રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army