બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / resignation of Nationalist Congress Party President Sharad Pawar Ajit Pawar statement

નિવેદન / શરદ પવારની સામે જ અજીત દાદાએ કમાન સંભાળી, કહ્યું બહુ ભાવુક ના થશો, સાહેબની ઉંમર અને સ્વાસ્થ્ય...

Kishor

Last Updated: 04:41 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામુ આપ્યા બાદ  ભત્રીજા અજીત પવારનું નિવેદન સામે આવ્યું છે.

  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના રાજીનામાનો મામલો
  • ભત્રીજા અજીત પવારનું નિવેદન
  • શરદ પવાર આ નિર્ણય પરત નહિ ખેંચે

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ સર્જી દે તેવા સમાચાર સમાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે આજે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામુ ધરી દીધું છે. શરદ પવારના આ નિર્ણય બાદ ભત્રીજા અજીત પવારનું નિવેદન સામે આવ્યું છે. જેઓએ કહ્યું ઉંમરને ધ્યાનમાં રાખીને શરદ પવારે આ નિર્ણય લીધો છે. જે પરત નહિ ખેંચે! હવે પક્ષમાં નવા નેતૃત્વને સ્થાન આપવું જોઈએ.


તેમની ધીરજનો અંત આવી રહ્યો છે: અજીત પવાર

અજીત પવારે વધુમાં કહ્યું કે શરદ પવાર ભલે અધ્યક્ષ ન હોય છતાં પણ પાર્ટી પોતાનું કામ કરતી રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે શરદ પવારને નિર્ણય પાછો ખેંચવા માટે અપીલ ન કરો. હવે તેમની ધીરજનો અંત આવી રહ્યો છે. અજીત સવારે કહ્યું કે રાજીનામાં બાદ શરદ પાવર કહી રહ્યા છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે પવારને મંજુર છે. તો ભાવુક થવાની જરૂર નથી આજે કે કાલે આ થવાનું જ હતું. જેથી મારી વિનંતી છે સાહેબને પોતાના વિચાર મુજબ આગળ વધવા દો!


તેઓ આ નિર્ણયમાં પીછે હટ નહિ કરે! 
અજીત પવારે વધુમાં કોંગ્રેસના ઉદાહરણને ટાંકીને કહ્યું કે શરદ પવાર અધ્યક્ષ નથી તેનો મતલબ એ નથી કે તેઓ પાર્ટીમાં નથી.  જેમ કોંગ્રેસમાં અધ્યક્ષ તરીકે ખડકે છે પરંતુ પાર્ટી સોનિયા ગાંધી ચલાવે છે તેમ કોઈપણ એનસીપીમાં નવા અધ્યક્ષ આવશે તે શરદ પવારના માર્ગદર્શન હેઠળ જ કામ કરશે. મેં તેમની સાથે વાત કરી છે પરંતુ તે આ નિર્ણયથી હટશે નહીં. અમે બધા નવા પ્રમુખને સમર્થન આપીશું. અમે પરિવાર છીએ અને રહીશું. જે પરિવારના વડા તરીકે શરદ પવાર છે.


એનસીપીના નેતાઓ કાર્યકર્તાઓ નિર્ણયથી નારાજ
બીજી તરફ એનસીપીના નેતાઓ કાર્યકર્તાઓ અને શરદ પવારના સમર્થકો આ નિર્ણય પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જેને લઈને નાના પટોલે કહ્યું કે એનસીપીનો આ આંતરિક મામલો છે. તેમણે શા માટે રાજીનામું આપ્યું તે માત્ર તેઓ જ કહી શકશે. જે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે નવા અધ્યક્ષ કોણ હશે તે નક્કી કરવાનું છે. વધુમાં શરદ પવાર મોટા નેતા છે અને ભાજપ તથા કેન્દ્ર સામે તેમની ભૂમિકા રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ