બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Kishor
Last Updated: 06:45 PM, 13 January 2024
એક બાજુ લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઈને રાજકીય ગતિવિધિઓ ધીમે ધીમે તેજ બની રહી છે. આવી સ્થિતિ વચ્ચે રાજકોટ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાએ રાજીનામા બાદ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે અને હવે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામું લેવાયા બાદ અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે. તે મામલે VTV સમક્ષ થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે.
Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાનું રાજીનામું લેવાયું, VTV સમક્ષ થયેલી વાતચીતમાં કર્યો ખુલાસો I VTV GUJARATI#rajkotnews #rajkot #gujaratnews #gujarat #congress #vtvgujarati pic.twitter.com/h24GVBAWnw
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 13, 2024
VTV સમક્ષ થયેલી વાતચીતમાં કર્યો ખુલાસો
VTV ન્યૂઝ સમક્ષની વાતચીતમાં અર્જુન ખાટરિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં હું ભાજપમાં જોડાઈશ. એક બાજુ દેશમાં અયોધ્યામાં આયોજિત ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ ભર્યો માહોલ છે ત્યારે અમારી લાગણી તેમની સાથે જોડાયેલ છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રાથી હું પ્રભાવિત છું. દેશ જ્યારે વિકાસના દ્વારે આગળ વધી રહ્યો હોય ત્યારે તેમાં સહભાગી થવાનો અવસર મને પણ મળતો હોવાથી હું આકર્ષાયો છું. અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવનું સપનુ સાકાર થતા હું પ્રભાવિત થયો છું સાથે જ બીજા ઘણા કાર્યકર્તાઓ પણ મારી સાથે ભાજપમાં જોડાઈ શકે છે.
આગામી દિવસોમાં હું ભાજપમાં જોડાઈશ : અર્જુન ખાટરિયા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં 25 વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ કોંગ્રેસને મજબૂત કરવામાં અમારું પણ ખૂબ યોગદાન છે. જ્યારે કોંગ્રેસ જિલ્લામાંથી નાબૂદ થઈ રહી હતી ત્યારે અમે કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં ટકાવી રાખી હતી. હવે ભાજપ સાથે જોડાઈને અમારી લાગણીને પ્રધાનમંત્રી સુધી પહોંચાડશું.
નોંધનિય છે કે અર્જુનભાઈ પક્ષ પલટો કરે તે પૂર્વે જ તેમને હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હટાવાયા છે. અર્જુન ખાટરીયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 15, 397 મતથી હાર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army