સરકારની તેલ કંપની BPCLને ખરીદવામાં રિલાયન્સે કોઈ રસ ન દાખવતા BPCLના શેર ઉપર અવળી અસર પડી હતી.
નોંધનીય છે કે સરકારે તેમના ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પ્રમાણે દેશની બીજી સૌથી મોટી તેલની કંપની BPCLને વેચવા કાઢી હતી પણ આ ડીલમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે, સાઉદીની અરામકો, બ્રિટિશ પેટ્રોલિયમ અને ટોટલ જેવી મોટી કંપનીઓએ ભાગ નહોતો લીધો. આમ આ કંપની ખરીદવામાં મોટા પ્લેયર્સે રસ ન દાખવતા કંપનીના શેર ઉપર વિપરીત અસર પડી હતી.
BPCL તેનો 52.98% હિસ્સો વેચવા જઈ રહી છે
નોંધનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ તેનો 52.98% હિસ્સો વેચવા જઈ રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ ડીલ માટે 3-4 બિડ્સ લાગેલી છે. જો રિલાયન્સે આ હિસ્સો ખરીદ્યો હોત તો BPCL ભારતની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કંપની બની ગઈ હોત.
વિદેશી કંપની રહી ડીલથી દૂર
સાઉદી અરામકો દુનિયાભરની તેલની કંપનીઓમાં ઈન્વેસ્ટ કરી રહી છે પણ તેમણે આ ડીલમાં રસ નહોતો લીધો. એવું માનવામાં આવે છે કે UKના બ્રિટિશ પેટ્રોલિયમ અને ફ્રાન્સની ટોટલ જેવી મોટી કંપનીઓ એટલે રસ નહોતો દાખવ્યો કારણ કે તેઓ વિશ્વભરમાં ઓઇલની ઘટતી માંગને કારણે અત્યારે ઓઇલ કંપનીમાં ઈન્વેસ્ટ કરવા માંગતા નથી.
BPCLના શેર ગગડ્યા
જો કે આ મોટા ખેલાડીઓએ રસ ન દાખવતા ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડનો ભાવ 4.25% તૂટી ગયો હતો. 414 રૂપિયાની સપાટીએ ફરી રહેલો શેર આજના દિવસના અંતે તૂટીને 395 રૂપિયા ઉપર આવી ગયો હતો.