કંપનીએ કહ્યું છે કે જિયો યૂઝર્સ પોતાના નજીકના એટીએમ પર વિઝીટ કરીને ફોન રિચાર્જ કરાવી શકે છે. Reliance Jioએ આ સર્વિસ માટે ટોટલ 9 બેંક્સની સાથે પાર્ટનરશિપ કરી છે. માઇક્રો બ્લૉગિીંગ વેબસાઇટ Twitter પર કંપનીએ કહ્યું કે આવું લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
Reliance Jioએ જાહેરાત કરી છે હવે યૂઝર્સ ATMથી મોબાઇલ રિચાર્જ કરાવી શકે છે
કંપનીએ કહ્યું છે કે જિયો યૂઝર્સ પોતાના નજીકના એટીએમ પર વિઝીટ કરીને ફોન રિચાર્જ કરાવી શકે છે
Reliance Jioએ આ સર્વિસ માટે ટોટલ 9 બેંક્સની સાથે પાર્ટનરશિપ કરી છે. એમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પણ સામેલ છે. નોંધનીય છે કે દેશભરમાં SBIના ATM સૌથી વધારે છે.
માઇક્રો બ્લૉગિીંગ વેબસાઇટ Twitter પર કંપનીએ કહ્યું કે આવું લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
હાલ કોરોના વાયરસ પર લગામ લગાવવા માટે દેશભરમાં 21 દિવસ સુધીનું લૉકડાઉન છે. એવામાં કંપનીને લાગે છે કે કેટલાક યૂઝર્સ લૉકડાઉનના કારણે મોબાઇલ રિચાર્જ કરાવી શકતા નથી.
Reliance Jioને ATMથી રિચાર્જ કરવાની રીત
તમારા નજીકના અથવા કોઇ પણ ATM પર વિઝીટ કરો.
તમારું કાર્ડ સ્વાઇપ કરો, હવે અહીંયા તમારે રિચાર્જ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે.
રિચાર્જ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ પોતાના જિયો નંબરને એન્ટર કરો.
કાર્ડ એક્સેસ માટે 4 આંકડાનો પિન એન્ટર કરો.
હવે અહીંયા તમારે જેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવાનું છે એ દાખલ કરો.
સ્ક્રીન પર રિચાર્જનો કન્ફર્મેશન મેસેજ જોવા મળશે. પૈસા સીધા તમારા અકાઉન્ટમાંથી કપાઇ જશે.
આ છે 9 બેંક્સ
SBI, HDFC બેંક, AXIS Bank, IDBI Bank, CITI Bank, DCB Bank, AUF Bank, Standard charter Bank