RBIએ કહ્યું કે હવે નોન બેંકિંગ સંસ્થાઓ પણ NEFT અને RTGSની સુવિધાઓનો લાભ લઈ શકશે.
RBIએ લીધો મોટો નિર્ણય
નોન બેંકિંગ સંસ્થાઓને પણ મળશે ફાયદો
NEFT અને RTGSની સુવિધાઓનો લાભ લઈ શકશે
ભારતીય રિઝર્વ બેંકે બુધવારે કહ્યું કે હવેથી નોન બેંકિંગ સંસ્થાઓ પણ NEFT એટલે કે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધાઓનો લાભ લઈ શકશે. RBIના એક નિર્ણયના અનુસાર તેને અનેક તબક્કામાં લાવવામાં આવશે.
આમને મળશે લાભ
આરબીઆઈનું કહેવું પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર્સની હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લીધો કે પહેલા તબક્કામાં નોન બેંક જેવી કે પીપીઆઈ પ્રોવાઈડર્સ, કાર્ડ નેટવર્ક અને વ્હાઈટ લેબલ એટીએમ તેમાં ભાગ લઈ શકશે. એટલે કે આ સંસ્થાઓ પોતાના ગ્રાહકોને NEFT અને RTGSની સુવિધાઓનો લાભ આપી શકશે.
પેમેન્ટ ફેલનું રિસ્ક ઘટશે
આરબીઆઈએ કહ્યું કે ગેર બેંકિંગ સંસ્થાની સીપીએસ સુધી સીધી રીતે પેમેન્ટ સિસ્ટમમાં રિસ્ક ઘટશે. આ રીતે નોન બેંકિંગ માટે પણ ફાયદો થશે. તેના પેમેન્ટમાં ઘટાડો થશે અને સાથે બેંક પર નિર્ભરતા ઘટશે. નોન બેંક દ્વારા સીધા પેમેન્ટ કરવાની દશામાં પેમેન્ટ ફએલ થવાના કે મોડેથી થવાના ચાન્સમાં ઘટાડો થશે.
RBIએ જાહેર કર્યા FAQ
આરબીઆઈનું કહેવું છે કે આ નિયમ સર્ક્યુલર જાહેર કરવાની સાથે લાગૂ થશે. આ સિવાય આરબીઆઈએ તેની સાથે જોડાયેલા નિયમોને સમજાવવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર ફેક્ટ્સ પણ જાહેર કર્યા છે.