બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / RBI directs banks to release property documents within 30 days of settlement of loan account
Hiralal
Last Updated: 03:00 PM, 13 September 2023
રિઝર્વ બેંકે પ્રોપર્ટી પર લોન લેનારા લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. હવે બેન્કો, એનબીએફસી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન ભરપાઇ કર્યા બાદ પ્રોપર્ટીના કાગળો પરત કરવામાં વિલંબ કરશે તો તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. રિઝર્વ બેંકે બુધવારે સવારે આ આદેશ જારી કર્યો છે.
લોન પૂરી થયા બાદ એક મહિનામા મળી જશે દસ્તાવેજો
અત્યાર સુધી હોમ લોન ભરપાઈ કર્યા બાદ તમારે રજિસ્ટ્રીના કાગળો લેવા માટે બેન્કોમાં જવું પડતું હતું, પરંતુ હવે આરબીઆઈએ બેન્કોને સૂચના આપી છે કે, લોન ભરપાઈ કર્યાના 30 દિવસની અંદર ગ્રાહકોને રજિસ્ટ્રીના કાગળો પરત કરી દેવા પડશે જો બેંક 30 દિવસની અંદર ગ્રાહકોને રજિસ્ટ્રી પેપર પરત નહીં કરે તો તેમણ ગ્રાહકોને દરરોજ 5000 રૂપિયાનું વળતર ચુકવવું પડશે.
તમામ બેન્કોને આરબીઆઈનો આદેશ
રિઝર્વ બેન્કે આ આદેશ તમામ કોમર્શિયલ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો સહિત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને મોકલ્યો છે. વાસ્તવમાં રિઝર્વ બેન્કને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકો લોન ભરપાઈ કર્યા બાદ પણ બેન્કો અને એનબીએફસી પ્રોપર્ટીના દસ્તાવેજો આપવામાં વિલંબ કરે છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે વિલંબને કારણે વિવાદો અને મુકદ્દમા જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. નવા આદેશ અનુસાર, કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, એનબીએફસી અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ વગેરેએ લોનના તમામ હપ્તા મેળવ્યા અથવા પતાવટ કર્યાના 30 દિવસની અંદર ગ્રાહકોને તમામ દસ્તાવેજો પરત આપવાના રહેશે. ગ્રાહકોને સંબંધિત શાખામાંથી અથવા તો જે શાખા કે ઓફિસમાંથી કાગળો રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અનુકૂળતા મુજબ દસ્તાવેજો લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
30 દિવસમાં દસ્તાવેજો ન આપે તો ગ્રાહકોને 5000નું વળતર
આરબીઆઈએ કહ્યું કે જો બેંકો કે અન્ય સંબંધિત સંસ્થાઓ નિર્ધારિત સમયમાં લોનની ચુકવણીના 30 દિવસની અંદર દસ્તાવેજો પરત કરી શકશે નહીં, તો આવી સ્થિતિમાં તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. સાથે જ ગ્રાહકોને રોજના વિલંબ માટે 5000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army