સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ફેક ન્યૂઝ પર દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા લાલચોળ થયા છે. સોશિયલ મીડિયામાં રતન ટાટાના નામથી એક નિવેદન વાયરલ કરવામાં આવી રહ્યું હતું જેને લઈને રતન ટાટાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે
રતન ટાટાના નામે ફેલાઈ ફેકન્યૂઝ
ફેકન્યૂઝ પર ભડક્યાં રતન ટાટા
રતન ટાટાએ ટ્વીટર પર કાઢ્યો બળાપો
નોધનીય છે કે હાલમાં સોશિયલ મીડિયામાં વેરી મોટીવેશનલ એટ ધીસ આવરનાં શીર્ષક સાથે રતન ટાટાના નામનું એક નિવેદન વાયરલ કરવામાં આવી રહ્યું છે જેમાં રતન ટાટા અર્થતંત્ર પર કોરોના વાયરસના પ્રભાવ વિશે બોલે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે જેના પર હવે રતન ટાટાએ સ્પષ્ટતા આપી છે.
રતન ટાટાએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી કહ્યું કે આ વાતો ના તો મેં કીધી છે કે નાં તો મેં લખી છે. હું આપ સૌથી આગ્રહ કરું છું કે તમે લોકો સોશિયલ મીડિયામાં તેને વાયરલ કરતા પહેલા તેની પાછળનું સત્ય જાણી લો. મારે કંઈ કહેવું કહેવું હોય તે હું અધિકારીક ચેનલના માધ્યમથી જ કહું છું. આશા રાખું છું આપ સૌ સુરક્ષિત છો, પોતાનું ધ્યાન રાખો.
This post has neither been said, nor written by me. I urge you to verify media circulated on WhatsApp and social platforms. If I have something to say, I will say it on my official channels. Hope you are safe and do take care. pic.twitter.com/RNVL40aRTB
નોંધનીય છે કે ફેક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પડી ભાંગશે. સાથે એવા ઉદારહણ આપવામાં આવ્યા છે જેમાં અસંભવને સંભવ કરી બતાવ્યું છે. પોસ્ટમાં નિષ્ણાતોના હવાલે જાપાનનું ઉદારહણ પણ આપવામાં આવ્યું છે કે કઈ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાન ફરીથી બેઠું થયું. જાપાનની સાથે ઇઝરાયલનું ઉદારહણ આપવામાં આવ્યું છે . પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અરબ દેશોએ ભેગા થઇને ઈઝરાયલને દુનિયાના નકશામાંથી હટાવી હટાવી દીધું હોત પરંતુ આજે પરિસ્થિતિ કંઇક અલગ છે.
નોંધનીય છે કે હાલમાં કોરોના વાયરસ સામે લડવા માટે ટાટા ટ્રસ્ટ તરફથી અબજો રૂપિયાનું દાન મળ્યા બાદથી રતન ટાટા ખૂબ ચર્ચામાં છે એવામાં તેમને લઇને ઘણી બધી ફેકન્યૂઝ વાયરલ થઇ રહી છે.