ADC બેંક વિરુદ્ધ ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને કોર્ટે જામીન આપ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં કોર્ટે 15 હજારના બોન્ડ પર સુરજેવાલાને જામીન આપ્યા હતા. આ મામલે સુરજેવાલાએ કહ્યું કે જે સત્ય છે તે સામે આવશે અને સત્યની જીત થશે. નોટબંધી મુદ્દે ટીપ્પણી કરવા બદલ ADC બેંકે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઉપર માનહાનીનો કેસ કર્યો હતો.
ADC બેંક વિરૂ્દ્વ ટિપ્પણી કરવાનો મામલો
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોર્ટમાં રહ્યા હાજર
કોર્ટે રણદીપ સુરજેવાલાના જામીન મંજૂર કર્યા
ADC બેંક વિરૂ્દ્વ ટિપ્પણી કરવાનો મામલો આજે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોર્ટમાં હાજર રહ્યાં હતા. કોર્ટે રણદીપ સુરજેવાલાના જામીન મંજૂર કર્યા હતા. 15 હજારના બોન્ડ પર સુરજેવાલાના શરતી જામીન મંજૂર કરાયા હતા, કેસની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરી 2019માં હાથ ધરવામાં આવશે.
રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
રણદીપ સુરજેવાલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, દેશમાં પોલીસનું રાજ છે. મોદીજી દેશના યુવાઓની વાત સાંભળતા નથી. આજે દેશનો યુવા આંદોલિત બન્યો છે. સરકાર દેશના યુવાઓની સમસ્યાનો ઉકેલ લાવે નહીં તો યુવાનો જ સરકાર ઉથલાવી દેશે.
અમદાવાદ ADC બેંક વિરૂ્દ્વ ટિપ્પણી કરવાનો મામલો
અમદાવાદ જીલ્લા સહકારી બેન્કે ( Ahmadabad district co-operative bank ltd) કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલ વિરુદ્ધ કોર્ટમાં અપરાધિક માનહાનીનો કેસ નોંધાવ્યો છે. 2016માં નોટબંધી વખતે રાતો રાત પાંચ દિવસની અંદર રૂા. 750 કરોડ બદલવાના ગોટાળામાં બેંક સામેલ હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો જે મામલે માનહાનીનો કેસ કરવમાં આવ્યો હતો જેની આજે સુનાવણી હતી.