અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન કરવા પર રકમ આવકવેરા મુક્ત થશે. નાણાં મંત્રાલય દ્વારા ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ રામ મંદિર ટ્રસ્ટમાં દાન કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80 જી હેઠળ આવકવેરાને છૂટ આપવામાં આવશે. નાણાં મંત્રાલયે તીર્થક્ષેત્રને
ઐતિહાસિક રીતે મહત્વના તથા સાર્વજનિક પૂજા માટે પ્રસિદ્ધ સ્થળ તરીકે જાહેર કર્યું. રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં 9મી એપ્રિલ સુધીમાં આ ખાતામાં 5 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હતી. જે લોકોએ સૌથી વધુ દાન આપ્યું હતું, તેમણે એક રૂપિયાથી લઈને 11 હજાર સુધી રકમ ખાતામાં જમા કરાવી હતી.
કેન્દ્ર સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન
IT મુક્ત થશે રામ જન્મભૂમિ ટ્રસ્ટ
ટ્રસ્ટમાં 5 કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે
નોટિફિકેશનમાં જાહેર કરાયું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ એક ઐૈતિહાસિક મહત્વ ધરાવતી જગ્યા છે અને પૂજાનું એક લોકપ્રિય સ્થળ છે. આવકવેરા અધિનિયમની કલમ 80જી હેઠળ ઉપ-ધારાના ખંડના આધારે તેના નિર્માણમાં જોડાયેલા ટ્રસ્ટને દાન કરનારા લોકોને 50 ટકાની છૂટ આપવામાં આવી શકે છે.
આ કલમ હેઠળ દાનકર્તાઓને અપાશે છૂટ
આ સિવાય ટ્રસ્ટની આવક અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ આવક અધિનિયમની કલમ 11 અને 12ના આધારે છૂટને પાત્ર રહેશે. ધારા 80 જીના આધારે ધાર્મિક ટ્રસ્ટમાં દાન કરનારાને માટે આવકવેરામાં છૂટ આપવાની જોગવાઈ નથી. કોઈ ધર્માર્થ કે ધાર્મિક ટ્ર્સચનને પહેલા ધારા 11 અને 12ના છૂટ માટે આવેદન કરવાનું હોય છે કલમ 80 જીના આઘારે દાનકર્તાને છૂટ આપવામાં આવે છે.
2017માં લેવાયો હતો આ નિર્ણય
કેન્દ્ર સરકારે 2017માં ચેન્નઈના માયલાપુરમાં અરુલમિગુ કપાલેશ્વર થિરુકોઈલ, કોટ્ટિવક્કમમાંના શ્રીનિવાસ પેરુમલ મંદિર અને મહારાષ્ટ્રના સજ્જનગઢમાં સ્થિત શ્રીરામ અને રામદાસ સ્વામી સમાધિ મંદિર અને રામદાસ સ્વામી મઠ જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને સાર્વજનિક પૂજા સ્થળોમાં આવે છે. તેને આવક અધિનિયમ એક્ટના આધારે 80જીમાં છૂટ આપવામાં આવે છે.
આ સિવાય પંજાબના અમૃતસરમાં ગુરુદ્વારા શ્રી હરમંદિર સાહિબમાં દાન કરનારાને પણ આવકમાં છૂટ આપવામાં આવી હતી. ઉચ્ચ ન્યાયાલયે રામ જન્મભૂમિ પર પોતાનો નિર્ણય આપ્યો હતો. અદાલતે કહ્યું કે વિવાદિત સ્થળ પર રામ મંદિરનું નિર્માણ થશે અને મસ્જિદ નિર્માણને માટે સરકારને 5 એકર જમીન આપવાનો આદેશ કરાયો હતો.