રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજુલાના ધારાસભ્ય અંબરિશ ડેરને કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં
રાજુલાના કોંગ્રેસના MLA અંબરિશ ડેરને કોરોના
પોતાના ફાર્મહાઉસમાં ક્વોરન્ટાઈન થયા
કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેરને કોરોના થયો છે. જેને લઇને તેઓ પોતાના ફાર્મહાઉસમાં ક્વોરન્ટાઇન થયા છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં કુલ 20થી વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતાઓને પણ કોરોના થયો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.