2008થી પ્રસારિત થઈ રહેલી પ્રખ્યાત કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. આ કોમેડી ટીવી સીરીયલમાં જેઠાલાલનું પાત્ર અભિનેતા દિલીપ જોશીએ ભજવ્યું છે.
જેઠાલાલનું પાત્ર રાજપાલને ઑફર થયું હતું
રાજપાલે આ પાત્ર કરવાની કહી હતી ના
કારણ પણ એક ઇન્ટરવ્યૂમાં રિવીલ કર્યું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેઠાલાલની આ એપિક ભૂમિકા રાજપાલ યાદવને પણ ઓફર કરવામાં આવી હતી પરંતુ અભિનેતાએ આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એક ઈન્ટરવ્યુમાં રાજપાલ યાદવે પોતે આ રોલ નકારવાનું કારણ જાહેર કર્યું હતું.
રાજપાલ કહે છે, 'ના ના, જેઠાલાલનું પાત્ર એક સારા અભિનેતા, એક સારા કલાકાર દ્વારા ઓળખાય છે અને હું દરેક પાત્રને કલાકારનું પાત્ર માનું છું.' રાજપાલ આગળ કહે છે, 'અમે મનોરંજનના માર્કેટમાં છીએ, તેથી હું મારા પાત્રને કોઇ ફિક્સ કલાકારના પાત્રમાં ફિટ કરવા નથી માંગતો'. અભિનેતા આગળ કહે છે, 'તેથી મને એવું લાગે છે કે રાજપાલ માટે જે પણ પાત્ર બનાવવામાં આવે, તેને તે કરવાનો વિશેષાધિકાર મળવો જોઈએ.
રાજપાલના શબ્દોથી એક વાત સ્પષ્ટ છે, તે પોતાના માટે એકદમ તાજું અને નવું પાત્ર ઇચ્છતો હતો, એવું પાત્ર કે જે પહેલાં કોઈએ ભજવ્યું ન હોય. જો કે આ દિવસોમાં અસલી 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશી ચર્ચામાં છે. દિલીપની દીકરી નિયતિના લગ્ન 11 ડિસેમ્બરના રોજ થયા હતા અને આ લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ લગ્નના વીડિયોમાં દિલીપ જોશી ઢોલના તાલે જોરદાર આનંદ લેતા જોઈ શકાય છે.