પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીનને સીધી ચેતવણી આપી છે. કોવિડ સેન્ટરની મુલાકાતે લેવા દિલ્હી પહોંચેલા સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારત દરેક મોરચે તૈયાર છે.
LACના વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહનું નિવેદન
ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર
તમામ જગ્યાએ અમારી સંપૂર્ણ તૈયારી
હકીકતમાં, સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે 1000 બેડવાળી અસ્થાયી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સરહદ હોય કે હોસ્પિટલ અમે તૈયાર છીએ
આ દરમિયાન, ચીન વિશે પુછાતા પ્રશ્નોના જવાબ આપતાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, અમે દરેક મોરચા માટે તૈયાર છીએ, પછી ભલે તે સરહદ હોય કે હોસ્પિટલ, અમે તૈયારીમાં ક્યારેય પાછળ નથી રહ્યા.
માત્ર 12 દિવસમાં તૈયાર કરાઇ હોસ્પિટલ
આ હોસ્પિટલ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક રક્ષા મંત્રાલયની જમીન પર 12 દિવસમાં હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ આ હોસ્પિટલના આઇસીયુમાં 250 બેડ છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આ હોસ્પિટલનું સંચાલન સશસ્ત્રદળના કર્મીઓ દ્વારા કરવામાં આવશે.
ગલવાન ઘાટીમાં ભારતે ગોઠવ્યા સૈનિકો
આપને જણાવી દઇએ કે, ચીન સાથે ચાલી રહેલા તણાવને જોતા એરફોર્સ અને આર્મી સાથે મળીને ચીન પર નજર રાખી રહી છે. ભારતે ગલવાન ઘાટીમાં ચીનના સૈનિક જેટલા જ જવાનો ગોઠવી દીધા છે.
PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ વચ્ચે યોજાઇ મુલાકાત
ઉલ્લેખનીય છે કે, દેશ અત્યારે વિવિધ સંકટોનો સામનો કરી રહ્યો છે. એક તરફ કોરોના વાયરસ સતત કહેર વર્તાવી રહ્યો છે ત્યાં બીજી તરફ સરહદ પર સતત સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે રવિવારે મહત્વની મુલાકાત થઇ હતી.
રાષ્ટ્રપતી ભવન દ્વારા ટ્વિટ કરીને અપાઈ જાણકારી
રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે થયેલ મુલાકાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે મિટિંગ બાદ રાષ્ટ્રપતિ ભવન તરફથી ટ્વિટ કરીને બેઠકની જાણકારી આપવામાં આવી. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કોવિંદને દેશ અને વિશ્વનાં વિવિધ મુદ્દાઓ પર માહિતી આપી હતી. લદાખથી પરત ફર્યા બાદ વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને વિવિધ મુદ્દે બ્રિફિંગ આપ્યું.