બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Malay
Last Updated: 04:09 PM, 6 August 2023
દેશના મહત્ત્વના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાના ભાગરુપે 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત આજે ભારતના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ PM મોદીના હસ્તે કરવામાં આવ્યો છે. દેશના 508 રેલવે સ્ટેશનોને રૂ.24,470 કરોડના ખર્ચે રિડેવલોપ કરવામાં આવશે. જેમાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનો પણ સામેલ છે. ગુજરાતના અસારવા, હિંમતનગર, સંજાણ, ભચાઉ, કલોલ, સાવરકુંડલા, ભક્તિનગર, કેશોદ, સુરેન્દ્રનગર, ભરૂચ, વિરમગામ, મિયાગામ કરજણ, બોટાદ, ડભોઇ, ન્યુ ભુજ, વિશ્વામિત્રી, પાલનપુર, દેરોલ, પાટણ, ધ્રાંગધ્રા અને પ્રતાપનગર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.
રાજકોટને મળશે વંદે ભારત ટ્રેનઃ રામભાઈ મોકરીયા
પીએમ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કરાયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, રાજકોટમાં વધુ સારી રેલવે સુવિધા ઉભી કરાશે. રાજકોટને ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન મળશે. આ ઉપરાંત રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે.
'ભક્તિનગર રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે'
રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, લાંબા રૂટની ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે. રાજકોટ ડિવિઝનમાં ઈલેક્ટ્રિફિકેશન અને ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયુ છે. ભક્તિનગર રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે. રૂ. 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે.
પીએમ મોદીના હસ્તે 508 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરાયો
આપને જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જે પૈકી આજે ભારતના 508 રેલવે સ્ટેશનો પુનઃવિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો હતો. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા રેલવે સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા.
ગુજરાતના 21 સ્ટેશનોનો કરાયો શિલાન્યાસ
આજે પીએમ મોદીના હસ્તે કરવામાં આવેલા દેશના 508 રેલવે સ્ટેશનના ઈ-શિલાન્યાસમાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. જો ગુજરાતના સ્ટેશનોની વાત કરવામાં આવે તો અમદાવાદ ડિવિઝનના 9, વડોદરા ડિવિઝનના 7, ભાવનગર ડિવિઝનના 3 અને રાજકોટ ડિવિઝનનના 2 રેલવે સ્ટેશનો સામેલ છે.
અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોને રિડેવલોપ કરાશે
અમદાવાદ ડિવિઝનના વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ, ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે. જ્યારે વડોદરા ડિવિઝનના મિયાગામ કરજણ, પ્રતાનગર, સંજાણ, ભરૂચ, વિશ્વામિત્રી, દેરોલ અને ડભોઈ રેલવે સ્ટેશનને રિડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ડિવિઝનના બોટાદ, કેશોદ અને સાવરકુંડલા તથા રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army