ઉત્તરાયણ અગાઉ રાજકોટ શહેરમાંથી માઠા સમાચાર આવ્યા છે. શહેરના નાનમવા રોડ પર ગઇકાલે સાંજે પતંગની દોરીથી ગળું કપાયું હતું. પતંગની દોરીથી ગળુ કપાતા એક્ટિવા પર જઇ રહેલા યુવકનું મૃત્યું થયું હતું.
ઉત્તરાયણ અગાઉ પતંગની દોરીએ લીધો યુવકનો જીવ
રાજકોટમાં પતંગની દોરીથી ગળુ કપાતા યુવકનું મૃત્યું
ગઇકાલે સાંજે પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું
હાલુ ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે. મહાનગરોમાં પતંગો ઉડતા જોવા મળી રહ્યાં છે. ત્યારે તહેવાર પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે. રાજકોટના નાનામવા રોડ પર એક્ટિવા પર જતા યુવકનું ગળુ કપાતાં મૃત્યું થુયં છે.
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર શહેરના નાનામવા રોડ પર એક્ટિવા પર જઇ રહેલા ગળામાં દોરી ફસાતા ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જો કે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
આમ યુવકનું મૃત્યું થતાં 8 વર્ષની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી તેમજ પરિવારમાં માતમ છવાઇ ગયેલો જોવા મળ્યો. એક મળતા અહેવાલ મુજબ અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાતા મૃત્યું થયું.
ઉત્તરાયણના તહેવારને લઇને અરજી પર હાઇકોર્ટે સરકારને કરી હતી ટકોર
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હાઇકોર્ટ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઇને કરવામાં આવેલી અરજી પર સરકારને ટકોર કરી હતી. ઉત્તરાયણ એક વર્ષ પછી પણ ઉજવી શકાશે. સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, બધાને ખુશ રાખી શકાશે નહીં.
હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, આમ હવે ઉત્તરાયણના પર્વ બાદ ફરી આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? જો કે આગામી વર્ષ કોરોનાને લઇને ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે.
સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે. એક વર્ષ ઉત્તરાયણની ઉજવણી નહી કરવામાં આવે તો ચાલશે. રાજ્યમાં 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2021 સુધીના સમયગાળામાં વધુ સાવચેતી રાખવી પડશે. બધાને ખુશ રાખી શકાશે નહીં.