અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપશે. રાજીવ સાતવ મેનિફેસ્ટો કમિટી અને પબ્લિસિટી કમિટીની બેઠકમાં હાજરી આપશે.
આ સાથે જ રાજીત સાતવ CWC માટે કોર્ડીંનેશન કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે. અમદાવાદ આવીને રાજીવ સાતવે આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપી છે કે પક્ષ અને વિપક્ષ એક સાથે મળીને કામ કરશે. સરકારે પુરી તાકાત સાથે કાર્યવાહી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખાસ અભિયાન હાથ ધરેલ છે. આ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના પ્રભારી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે.
ઉંઝા બેઠકના MLA એ તાજેતરમાં પક્ષ સાથે ફાડ્યો છેડો
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકારી લીધું છે. આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આશા પટેલે રાજીનામું આપતાં વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 76 થઈ ગયું છે. આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
જોકે ઊંઝામાં APMCની ચૂંટણી પહેલા આશાબહેને રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી મુજબ પક્ષમાં સતત આશા પટેલની અવગણના કરવામાં આવી રહી હતી. જેથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા..અને રાજીનામા પાછળ આ કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પક્ષમાં ચાલી રહ્યો છે નારાજગીનો દોર
અગાઉ ગ્યાસુદ્દીન શેખના નિવેદને પણ કકળાટના હવનમાં ઘી નાંખવાનું કામ કર્યુ હતું. કોંગ્રેસમાં નારાજ નેતાઓને લઈને ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યા હતા. ત્યારે વીટીવીની ટીમ સાથે વાત કરતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી હતી કે મારી વાતનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે.
સિનિયરોને સન્માન સાથે આગળ વધવુ જોઈએ. 5થી 7 નેતાઓ એવુ માનતા હોય છે કે પાર્ટીના માલિક છે તો તે ખોટું છે. હાલમાં કોંગ્રેસની સારી સ્થિતિ ચાલી રહી છે. કોંગ્રેસમાં જુનિયર અને સિનિયર નેતૃત્વ એક સાથે રહે છે. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે નેતાના કારણે પાર્ટી નહી પરંતુ કાર્યકરોના કારણે પક્ષ ચાલે છે.
કોંગ્રેસમાં નારાજ નેતાઓને લઈને ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યા હતા. ત્યારે વીટીવીની ટીમ સાથે વાત કરતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી હતી કે મારી વાતનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે. સિનિયરોને સન્માન સાથે આગળ વધવુ જોઈએ.