રાજસ્થાનના નાગરિક સુરક્ષા રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આક્ષેપ; "રાજસ્થાનમાં સમગ્ર સત્તા એક જ વ્યક્તિ ચલાવે છે"
રાજસ્થાનના રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાના ગહેલોત પર આક્ષેપ
"રાજસ્થાનમાં સમગ્ર સત્તા એક જ ચલાવે છે"
"બધી બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને થાય"
રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. એક તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે ખેચાતાણ ચાલી રહી છે તો બીજી તરફ મંત્રીઓએ પોતાના અધિકારીઓની માંગણી કરીને સીએમ ગેહલોત સામે મોરચો માડ્યો છે.
રાજેન્દ્ર ગુઢાના આક્ષેપ
એક મીડિયા કર્મી સાથેની વાતચીત કરતા રાજસ્થાનના નાગરિક સુરક્ષા રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાએ કહ્યું હતું કે, પ્રદેશની પૂરી કમાન સીએમ અશોક ગહેલોતના હાથમાં અને સંપૂર્ણ પાવર પણ તેમના હાથમાં જ છે. તેમણે કહ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશકથી લઈ કોન્સ્ટેબલની બદલી મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી થાય છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું નાની બદલીઓ માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જવું પડે છે અને રાજ્યમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનેથી બધું જ થાય છે.
"બધી બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને થાય"
ગુડાએ કહ્યું કે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓએ મંત્રીઓને રિપોર્ટ કરવો જોઈએ. જે તમામ પ્રકારની કામગીરી મુખ્યમંત્રી આવાસને સોંપવી જોઈએ. ગુડાએ કહ્યું કે કેટલાક મંત્રીઓ કહી રહ્યા છે કે અમે IAS અધિકારીઓના ACR ભરીએ છીએ. પણ એસીઆર ભરનારા બિચારા મંત્રીઓ ક્યાં છે? આ બેઠક સંપૂર્ણપણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને થાય છે અને ત્યાંથી તમામ કામ થાય છે, નાણા અને ગૃહ જેવા તમામ વિભાગો મુખ્યમંત્રી પાસે છે. તેમણે કહ્યું કે, મંત્રીઓ પોતાના કામ માટે મુખ્યમંત્રી આવાસ અને કાર્યાલયના ચક્કર લગાવતા રહે છે. તેમણે ઉમેર્યું કે, ઘણા મંત્રીઓ કહે છે કે ઘણા મામલાને અંદર રાખે છે જ્યારે અંદર બધા બેસીને રડે છે.
"રાજસ્થાનમાં સમગ્ર સત્તા એક જ ચલાવે છે"
તેમણે કહ્યું કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિચારસરણીથી વિરોધ રાજસ્થાનમાં કામ થઈ રહ્યું છે. રાહુલ સત્તા વહેંચવાની વાત કરે છે. તેઓ કહે છે કે દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ચલાવી રહ્યા છે, પરંતુ રાજસ્થાનમાં સમગ્ર સત્તા એક જ ચલાવે છે. તેમણે કહ્યું કે હું નાગરિક પુરવઠા મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસની વેદના સાથે સો ટકા સહમત છું. તેમણે ઉઠાવેલો મુદ્દો સાચો છે. ધારાસભ્યો, મંત્રીઓ માટે કંઈ ચાલી રહ્યું નથી.