રાજસ્થાનમાં જ્યાં સોમવારે શાળા-કોલેજોને ખોલવામાં આવી. ત્યારે બપોર થતા થતા બીજી એક ખુશખબર સામે આવી છે. કોરોના પ્રોટોકોલ હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવેલા નાઇટ કર્ફ્યૂને સરકારે ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
રાજસ્થાનમાં રાત્રી કર્ફ્યૂ હટાવાયુ
કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ લેવાયો નિર્ણય
CM ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય
સોમવારે થયેલી કોરોના સમીક્ષા બેઠકમાં ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે નાઇટ કર્ફ્યુ હટાવવા પર સહમતી દર્શાવી છે. સાથે જ અન્ય પ્રતિબંધો પર પણ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી છે. હવે ગૃહ વિભાગ આ મામલે સત્તાવાર જાહેરાત કરશે. સાથે જ વિભાગ તરફથી આ સંબંધમાં SOP પણ જાહેર કરવામાં આવશે.
निवास पर कोविड-19 समीक्षा बैठक में प्रदेश में रात्रिकालीन कर्फ्यू समाप्त करने एवं कुछ छूट चरणबद्ध रूप में देने का निर्णय लिया है परन्तु हैल्थ प्रोटोकॉल्स को अपनाना आवश्यक होगा अन्यथा पुनः संक्रमित संख्या बढ़ सकती है।
यह नौबत नहीं आनी चाहिए कि पुनः सख्ती करनी पड़े। pic.twitter.com/qou0phirhJ
તમને જણાવી દઇએ કે સોમવારે મુખ્યમંત્રી આવાસ પર થયેલી બેઠકમાં કોરોનાથી જોડાયેલ અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અધિકારીઓને સલાહ સૂચન કરીને મુખ્યમંત્રી ગેહલોતે નાઇટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી અનુસાર, આ નિર્ણયમાં એ નક્કી થયું છે કે, તબક્કાવાર પ્રદેશમાં હવે કોરોનાને લઇને લાગેલા પ્રતિબંધોને હટાવવામાં આવે. સાથે જ મુખ્યમંત્રીને અધિકારીઓએ એમ પણ કહ્યું કે, નાઇટ કર્ફ્યુ સહિત તમામ પ્રતિબંધોને ખતમ કરવાની સાથે હેલ્થ પ્રોટોકૉલનું પાલન કરવું જરૂરી હશે.