રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. ખેતરમાં ઉભા રવિ પાકને વરસાદના કારણે મોટું નુકસાન થઈ શકે છે. બે મહિના પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા અને હવે ફરી એકવાર રવિ પાક પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
જીરૂમાં ઝાકળને કારણે ફૂગ આવવાની સમસ્યા
પાકને જ્યારે માવજતની અસરના સમયે જ કમોસમી વરસાદ
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં તૈયાર પાકને મોટું નુકસાન થઈ શકે છે. દ્વારકા, કચ્છ, ધોરાજીમાં કમોસમી વરસાદ થયો છે તો પોરબંદર, અમરેલી, જામનગર, ખંભાળિયા, ગીર-સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
આ તરફ અરવલ્લીમાં પણ માવઠું થયું છે. આ માવઠાના કારણે ધાણા, જીરુ, કપાસ, ચણા, ઘઉં અને એરંડાના પાકને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છેકે પાકને જ્યારે માવજનતી જરૂર છે તેવા સમયે જ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યાં છે. અગાઉ ખેડૂતોને થયેલા નુકસાનનું હજુ સુધી વિમા કંપનીઓથી વળતર મળ્યું નથી.
કમોસમીથી ક્યા પાકને નુકસાન?
કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
ઘઉ,કપાસ,ધાણા,જીરૂ,ચણાના પાકને નુકસાનની ભીતિ
ઘંઉમાં ગેરૂ પડતા પાકને થાય નુકસાન
જીરૂમાં ઝાકળને કારણે ફૂગ આવવાની સમસ્યા
જીરૂના ફૂલ ખરી જાય એટલે પાક નષ્ટ થઇ જાય
એરંડાને પણ નુકસાન થવાની શક્યતા
પાછોતરા વરસાદને કારણે રવિપાકનું વાવેતર 123 ટકા છે
રવિપાક પર થશે વ્યાપક અસર
સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર ગુજરાતમાં છે માવઠાની અસર
હજુ 24 કલાક સુધી કમોસમીનો રહેશે માહોલ
પાકને જ્યારે માવજતની જરૂર તે જ સમયે કમોસમી વરસાદ
રાજ્યમાં કમોસી વરસાદ પર કિસાન મોરચના અધ્યક્ષે આપ્યું આ નિવેદન
રાજ્યમાં કમોસમી વરસાદ પર કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખ પાલ આંબલિયાએ નિવેદન આપ્યું છે. આંબલિયાએ કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ચણા, જીરુ, ધાણા અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે.
રવિ પાક સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને હજુ પણ વળતર મળ્યું નથી. 7.5 લાખ ખેડૂતોએ અરજી કરી છે છતાં પણ તેમને પુરતું વળતર નથી ચૂકવવામાં આવ્યું.