રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચુંટણી પ્રચાર કરશે. રાહુલ પ્રચાર અભિયાનની શરુઆત હરિયાણાથી કરશે. એવું મનાઇ રહ્યું છે. તેઓ દશેરાથી એટલેકે 11 ઓક્ટોબરથી પહેલી રેલી યોજશે. જોકે એક તરફ એવી અફવા છે કે રાહુલ ચુંટણી પ્રચાર નહી કરી શકે કેમ કે ગત રાતે તેઓ વિદેશ રવાના થયાં છે.
મહારાષ્ટ્રા અને હરિયામામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચુંટણી પ્રચાર કરશે
બીજેપી નેતા અને હરિયાણા હાઉસિંગ બોર્ડનાં પૂર્વ અધ્યક્ષ જવાહર યાદવએ ટ્વીટ પર એવો દાવો કર્યો છે કે 10 દિવસ પહેલા રાહુલ ગાંધી બેંગકોક માટે રવાના થયા છે. એવું મનાઇ રહ્યું છે કે રાહુલ ગાંધી શનિવારેની રાતે બેંગકોક માટે રવાના થયાં છે. જોકે બીજેપીના આ દાવાને લઇને કોંગ્રેસે કોઇ પ્રતિક્રિયા આપી નથીં.
સ્ટાર પ્રચારકની લિસ્ટમાં રાહુલ
હાલમાં જ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ છોડ્યું છે. તેમ છતાં તેમનો સમાવેશ સ્ટાર પ્રચારકની લિસ્ટમાં કરવાં આવ્યો છે. પાર્ટીનું માનવું છે કે તેઓ વધુંને વધું મતદાતાઓને પોતાની તરફ ખેંચી શકશે અને કોંગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં સફળ સાબિત થશે.
કોંગ્રેસ ચૂંટણીમાં રાફેલ મુદ્દાથી દુર રહેશે.
કોંગ્રેસ મહારાષ્ટ્રા અને હરિયાણામાં બેરોજગારી અને તંગ આર્થિક સ્થિતિનો મુદ્દો ઉઠાવશે. કોંગ્રેસ રાફેલ વિમાનોની ખરીદીના મુદ્દાથી દુર રહેશે. આર્થિક સમસ્યાના મુદ્દા સાથે કોંગ્રેસ મોદી સરકાર પર નિશાનો લગાવવા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને ચુંટણી પ્રચારમાં ઉતારવાનું મન બનાવ્યું છે.