કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીના એ નિવેદન પર નિશાન સાધ્યું છે જેમાં એમને પાઇપમાંથી નિકળતા ગેસથી ચા બનાવનાર એક વ્યક્તિનો કિસ્સો સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે કરોડો રોજગાર આપવાના વાયદા કરનાર પીએમ મોદીની રોજગાર રણનીતિ હવે એ છે કે નાળામાં પાઇપ લગાવીને ગેસ નિકાળો અને પકોડા બનાવો.
કર્ણાટકના બીદરમાં રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું 'આ નરેન્દ્ર મોદી જી ની દેશ માટે રોજગારની રણનીતિ છે. નાળામાં પાઇપ લગાવો અને પકોડા બનાવો.'
એમને રોજગારના મુદ્દાને ઊઠાવતા પીએમ મોદી પર નિશાન સાધ્યિં અને કહ્યું કે મોદી જીના નાળામાંથી નિકળેલા ગેસથી યુવાઓને રોજગાર આપવાની રણનીતિ જણાવી રહ્યા છે. પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે બે કરોડ યુવાઓને રોજગાર આપવાના વાયદા કરનાર હવે કહી રહ્યા છે કે તમે પકોડા બનાવો અમે ગેસ આપીશું નહીં.
પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી અને એમને નવી રોજગાર રણનીતિનો કરાર આપ્યો.
રાહુલે આ ઉપરાંત એવું પણ કહ્યું કે નરેન્દ્ર મોદીના વિઝનમાં પૂરો ફાયદો 15 20 લોકોને છે.