નવા કૃષિ કાયદાથી ખેડૂતો સમાપ્ત થઈ જશે : કોંગ્રેસ નેતા
ખેડૂત આંદોલનની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે મોદી સરકાર વાતો કરવાને બદલે ખેડુતોને મારી રહી છે. તેમણે ખેડૂત આંદોલનકારીઓને કહ્યું હતું કે તમે એક ઇંચ પણ પાછળ નહીં ખસતા, અમે તમારી સાથે છીએ, અમે તમારું ભવિષ્ય બગડવા નહીં દઈએ.
ખેડૂતોને લાલ કિલ્લા પર કોણે જવા દીધા? : રાહુલ ગાંધી
પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોને લાલ કિલ્લા પર કોણે જવા દીધા? ગૃહમંત્રી અમિત શાહને ઉલ્લેખીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમેઓ જણાવો લાલ કિલ્લા પર જવાનો આદેશ કોણે આપ્યો હતો.
તેમણે કહ્યું કે આ આંદોલન હવે શહેરોથી ગામડાઓમાં પ્રસરશે,હું ખેડૂતોની સાથે છું. વડા પ્રધાન, એવું ન વિચારે કે આ આંદોલન હવે સમાપ્ત થઈ જશે.
Govt must talk to farmers & arrive at a solution. The only solution is to repeal laws & put them in a wastebasket. Govt must not think farmers will go home. My concern is that this situation will spread. But, we don't need that, we need a solution: Rahul Gandhi, Congress leader https://t.co/4IkVCXY4fW
મહત્વનું છે કે 26 મી જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન, ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ ફાટી નીકળી હતી, જેમાં ખેડૂતોએ નક્કી થયેલા માર્ગોની જગ્યાએ અન્ય માર્ગોએ જવાનું ચાલુ કરી દીધું હતું, અને પોલીસે ગોઠવેલી આડશોને હટાવી દીધી હતી, જેને લઈને સુરક્ષા કર્મીઓ અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ વધ્યો હતો જે હિંસામાં પરિણમ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ અથડામણમાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
Why were people allowed in the Red Fort? Why weren't they stopped? Ask the Home Minister what the objective was, of letting those people inside the premises: Rahul Gandhi, Congress pic.twitter.com/3uGYk0e3h1
નોંધનીય છે કે આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પોતાનો ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. આ બિલ્ડિંગની અનેક જગ્યાએ તોડફોડ પણ કરવામાં આવી હતી. જોન કે સંયુક્ત કિસાન મોરચાએ આ ઘટનાથી પોતાને અલગ કરી દીધા છે. તે જ સમયે, દિલ્હી પોલીસે આંદોલનકારી નેતાઓ સામે એફઆઈઆર નોંધી છે. પોલીસે અત્યાર સુધીમાં 33 એફઆઈઆર નોંધી છે અને 44 લોકો સામે લુકઆઉટ નોટિસ ફટકારી છે.