પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આઈએનએક્સ મીડિયા કેસ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે પૂર્વ નાણાં મંત્રીને જામીન આપી દીધા છે. પી.ચિદમ્બરમ ગુરુવારે સંસદ સત્રમાં પણ ભાગ લઈ શકે છે. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આ માહિતી આપી છે.
પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમને મળ્યા જામીન
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વ્યક્ત કરી આશા
ગુરૂવારે સંસદના સત્રમાં હાજર રહે તેવી શક્યતા
આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) એ ટ્વીટ કર્યું હતું કે અપેક્ષા છે કે ચિદમ્બરમ તેમની નિર્દોષતા સાબિત કરશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, 'પી ચિદમ્બરમને 106 દિવસની કેદમાં રાખવા એ બદલા જેવું હતું. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે, જેનાથી હું ખુશ છું. મને વિશ્વાસ છે કે તેઓ ન્યાયીક સુનાવણીમાં પોતાને નિર્દોષતા સાબિત કરશે.
ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદની કાર્યવાહીમાં લેશે ભાગ
પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદમાં આવશે. પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ મંજૂરી વિના મુસાફરી કરી શકશે નહીં અને જ્યારે જરૂર પડે ત્યારે પૂછપરછ માટે આવવું પડશે. આ સાથે કોર્ટે મીડિયામાં તેમના વતી કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું પણ બંધ કરી દીધું છે.
Mr P Chidambaram’s 106 day incarceration was vengeful & vindictive. I'm glad that the SC has granted him bail. I'm confident that he will be able to prove his innocence in a fair trial.
74 વર્ષીય કોંગ્રેસી નેતા 21 ઓક્ટોબરથી કસ્ટડીમાં હતા. આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં તેમની કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા 16 ઓક્ટોબરે મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ આર ભાનુમથી, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ ઋષિકેશ રાયની ખંડપીઠે પૂર્વ નાણાં મંત્રીના જામીન નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો.
બે લાખ રૂપિયાના બોન્ડ
ખંડપીઠે કહ્યું હતું કે ચિદમ્બરમને બે લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને તે જ રકમની બે બાંયધરી આપવા પર છૂટા કરવામાં આવે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં દલીલ કરી હતી કે મની લોન્ડરિંગ કેસમાં એક સાક્ષી ચિદમ્બરમનો સામનો કરવા તૈયાર નથી, કેમ કે બંને એક જ રાજ્યના છે.