હાથરસ દુષ્કર્મ કેસ મામલે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી પરિવારને મળવા ઈચ્છતા હતા. પણ ઉત્તરપ્રદેશ પોલીસે રાહુલ ગાંધીને હાથરસ જતા અટકાવ્યા હતા અને ધક્કામુક્કી પણ થઈ હતી.
હું દુનિયામાં કોઈનાથી નહીં ડરુંઃ રાહુલ ગાંધી
હું કોઈના અન્યાય સામે નહીં ઝુકુઃ રાહુલ
"હું અસત્યને સત્યથી જીતીશ"
"અસત્યનો વિરોધ કરતા સમયે તમામ કષ્ટોને સહન કરીશ"
આ દુષ્કર્મને મામલે રાહુલ ગાંધીએ ગાંધી જયંતી પર ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટરમાં લખ્યું કે, હું દુનિયામાં કોઈનાથી નહીં ડરું. હું કોઈપણ અન્યાય સામે નહીં ઝુકુ. હું અસત્યને સત્યથી જીતીશ અને અસત્યનો વિરોધ કરતા સમયે તમામ કષ્ટોને સહન કરીશ.
રાહુલ ગાંધી આ ટ્વીટ થકી સરકારને સંદેશ આપી રહ્યા છે કે હું અન્યાય સામે સતત લડતો રહીશ ભલે પછી પોલીસના બળપ્રયોગથી તમે મને અટકાવતા રહો. ઉલ્લેખનીય છે કે રાહુલ-પ્રિયંકા ગાંધીના પરિવારને મળવા જાય તે પહેલા સરકારે હાથરસમાં કલમ 144 લાગુ કરી હતી. પીડિતાના ગામ સુધી જવાના તમામ માર્ગ બંધ કરાયા હતા. ગામમાં પ્રવેશવાના માર્ગો પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવી હતી. જો કે રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરોએ હાથરસ જવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે તમામ લોકોને હાથરસ જતા અટકાવ્યા હતા.
‘मैं दुनिया में किसी से नहीं डरूंगा... मैं किसी के अन्याय के समक्ष झुकूं नहीं, मैं असत्य को सत्य से जीतूं और असत्य का विरोध करते हुए मैं सभी कष्टों को सह सकूं।’
નોંધનીય છે કે ઈકોટેક 1 પોલીસના જણાવ્યાનુંસાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પર મહામારી એક્ટ હેઠળ ભીડ ભેગી કરવા અને હાથરસમાં કલમ 144 લાગુ હોવાની જાણકારી હોવા છતાં યમુના એક્સપ્રેસ વેથી ત્યાં જવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ત્યાં એકઠા થઈને ન જાવાની આઈપીસી 188 હેઠળ કેસ દાખલ કર્યો છે. આમાં રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી સહિત 153 કોંગ્રેસિયો સામે આરોપી બનાવાયા છે. જેમાં પ્રમુખ નેતાઓમાં દિપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા, રાજીવ શુક્લા, અજય કુમાર લલ્લુ, રાગિની નાયક, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, મનોજ ચૌધરી સહિત અનેક નામ છે.