કચ્છના ભૂજમાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ન્યાય યોજના શરૂ કરીને જ રહેશે. તેમણે જણાવ્યું કે, GST લાગુ કર્યા બાદ બેરોજગારી વધી છે. આજે સૌથી વધુ બેરોજગારી ગુજરાતમાં છે.
અત્યારે જો સરકાર ઇચ્છે છે 10 લાખ યુવાનોને રોજગારી મળી શકે તેમ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, મોદી સરકારે ખેડૂતોની જમીન અદાણીને સોંપી છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, દેશમાં હવે કોંગ્રેસની જ સરકાર બનશે.
ગરીબોને અત્યાર સુધીમાં કેટલા રૂપીયા મળ્યા?: રાહુલ
કોંગ્રેસ ન્યાય યોજના શરૂ કરીને જ રહેશે: રાહુલ
GST લાગુ કર્યા બાદ બેરોજગારી વધી: રાહુલ
સૌથી વધુ બેરોજગારી ગુજરાતમાં છે: રાહુલ
10 લાખ યુવાનોને રોજગારી મળી શકે છે: રાહુલ
મોદી સરકારે ખેડૂતોની જમીન અદાણીને સોંપી: રાહુલ
બિલમાં લખ્યું હતું કે જમીન ખેડૂત સ્વેચ્છાએ વહેંચી શકે છે: રાહુલ
સૌથી વધુ ભ્રષ્ટાચાર જમીન છીનવી લેવાનો થયો છે: રાહુલ
ભ્રષ્ટાચાર માટે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ જવાબદાર છે: રાહુલ
અંબાણીએ 45 હજાર કરોડ લીધા: રાહુલ
નીરવ મોદીએ પણ લોન લઇ ઘોટાળા કર્યા: રાહુલ
લોન ખેડૂતોને આપી હોત તો ખેડૂતની હાલત ખરાબ ન હોત: રાહુલ
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને સામને
ભૂજમાં રાહુલ ગાંધીની સભા પૂર્ણ થયા બાદ માહોલ તંગ બન્યો હતો. રાહુલની સભા પૂર્ણ થઈ તે સમયે ભાજપે રેલી કાઢી હતી. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવ્યા હતા. જેમાં 'મે ભી ચોકીદાર' અને 'ચોકીદારના ચોર હૈ'ના નારા લાગ્યા હતા. જોકે, પોલીસે જહેમત ઉઠાવી મામલો થાળે પાડ્યો હતો.