અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે.
સેનામાં ભરતી માટે સરકાર લાવી છે નવા નિયમ
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ
કોંગ્રેસ પાર્ટીએ પણ વિરોધ માટે મોટી જાહેરાત કરી
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ કરતા કહ્યું કે, જેવી રીતે કૃષિ કાયદા પરત ખેંચવા પડ્યા હતા, તેવી જ રીતે અગ્નિપથ યોજના પણ પાછી લેવી પડશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 8 વર્ષથી સરકારે સતત જય જવાન, જય કિસાનના મૂલ્યોનું અપમાન કર્યું. મેં તો પહેલા પણ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીને કાળા કૃષિ કાયદા પાછા લેવા પડશે. ઠીક એવી જ રીતે તેમને માફીવીર બનીને દેશના યુવાનોની વાત માનવી પડશે અને અગ્નિપથને પાછી લેવી પડશે.
8 सालों से लगातार भाजपा सरकार ने ‘जय जवान, जय किसान' के मूल्यों का अपमान किया है।
मैंने पहले भी कहा था कि प्रधानमंत्री जी को काले कृषि कानून वापस लेने पड़ेंगे।
ठीक उसी तरह उन्हें ‘माफ़ीवीर' बनकर देश के युवाओं की बात माननी पड़ेगी और 'अग्निपथ' को वापस लेना ही पड़ेगा।
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટ દ્વારા આરોપ લગાવ્યો છે કે, સરકારે જવાનો અને ખેડૂતોનું અપમાન કર્યું છે. તો વળી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો પોતાના ટ્વિટર પરથી શેર કરીને કહ્યું છે કે, આર્મી ભરતીની તૈયારી કરી રહ્યા ગ્રામિણ યુવકોનું દર્દ સમજીએ. 3 વર્ષથી ભરતી નથી આવી, દોડી દોડીને યુવાનોના પગમાં જખ્મ થઈ ગયા. તેઓ નિરાશ છે, હતાશ છે. યુવાનો એરફોર્સ ભરતી રિઝલ્ટ અને ઓફર લેટરની રાહ જોઈ રહ્યા હતા. સરકારે તેમની સ્થાયી ભરતી, રેંક, પેન્શન, અટવાયેલી ભરતી, બધું છીનવી લીધું. કોંગ્રેસ તરફથી કહેવામા આવ્યું છે કે, અગ્નિપથ યોજના વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન મોટા પાયે હશે, જેમાં સાંસદો પણ સામેલ થઈ શકે છે.
आर्मी भर्ती की तैयारी करने वाले ग्रामीण युवाओं का दर्द समझिए
3 साल से भर्ती नहीं आई
दौड़-दौड़ के युवाओं के पैरों में छाले पड़ गए, वे निराश-हताश हैं
युवा एयरफोर्स भर्ती के रिजल्ट व नियुक्ति का इंतजार कर रहे थे
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 18, 2022
આ તમામની વચ્ચે અગ્નિવીરોને CAPF અને અસમ રાઈફલ્સમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અભ્યર્થીઓને વયમર્યાદામાં પણ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી કાર્યાલયે આના વિશે સોશિયલ મીડિયા પર જાણકારી શેર કરી છે. ગૃહમંત્રી કાર્યાલયે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી લખ્યું છે કે, ગૃહમંત્રાલયે CAPF અને અસમ રાઈફલ્સમાં થનારી ભરતીઓમાં અગ્નિપથ યોજના અંતર્ગત 4 વર્ષ પુરા કરનારા અગ્નિવીરોને 10 ટકા અનામત જગ્યાઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.