રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ખૂબ ચર્ચામાં છે, જ હવે તેમનો પરિવાર પણ ચર્ચામાં આવ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે જામ્યો છે જંગ
પુતિન પાછી પાની કરવામાં માનતા નથી
એક પ્રોફેસરે સનસનીખેજ દાવો કર્યો છે
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ખૂબ ચર્ચામાં છે, જ હવે તેમનો પરિવાર પણ ચર્ચામાં આવ્યો છે. રશિયાના એક પ્રોફેસરે દાવો કર્યો છે કે, પુતિન પોતાના પરિવારને એવા અંડરગ્રાઉન્ડ સિટીમાં મોકલી દીધા છે, જ્યાં પરમાણુ હથિયારોના હુમલાની કોઈ અસર થતી નથી. પ્રોફેસરે દાવો કર્યો છે કે, પુતિન પોતાના પરિવારને સાઈબેરિયાની એક એવી સીક્રેટ જગ્યા પર મોકલ્યા છે. તેમણે પુતિન વિશે અન્ય પણ કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ અંગે એક રિપોર્ટમાં મોસ્કો સ્ટેસ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંટરનેશનલ રિલેશંસના પ્રોફેસર રહેલા વાલેરી સોલોવીના નિવેદનનો હવાલો આપ્યો છે.
સનસનીખેજ દાવા
રિપોર્ટમાં કહેવાયું છે કે, રાષ્ટ્રપતિ પુતિને એટલા આવું કર્યું કારણ કે, તેમને શક છે કે, પરમાણુ યુદ્ધ થઈ શકે છે અને જો આવું થયુ તો, તે પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકે. એટલા માટે પરિવારને એવી જગ્યાએ મોકલી દીધો છે, પ્રોફેસર સોલોવીએ કેટલાય સનસનીખેજ દાવા કર્યા છે. ત્યારે આવા સમયે જણાવે છે કે, પ્રોફેસર સોલોવીને પુતિન પ્રશાસનના કેટલાય અધિકારીઓ સાથે સીક્રેટ સંપર્ક થાય છે અને કેટલીય ગુપ્ત જાણકારીઓ રાખે છે. તેમણે કહ્યું કે, અંડરગ્રાઉન્ડ સિટી સાઈબેરિયાના અલ્તાઈ પર્વતમાં આવેલું છે. જો કે, રિપોર્ટમાં તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
હાઈટેક બંકરમાં સુરક્ષિત
પ્રોફેસરે જણાવ્યું છે કે, પુતિને પોતાના પરિવારના લોકોને પહેલાથી તૈયાર હાઈટેક બંકરમાં પહોંચાડી દીધા છે. આ બંકર સાઈબેરિયાના અલ્તાઈ પર્વતમાં આવેલું છે. જે આરામદાયક અને હાઈટેક બંકર છે. પરમાણુ યુદ્ધની સ્થિતિમાં અહીં કોઈ જ અસર થતી નથી, તેથી જ તેની ડિઝાઈન હાઈટેક અને સીક્રેટ રાખવામાં આવી છે.