દિલ્હી: પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂનો ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન આ પ્રેમ સામે આવ્યો છે.
અહીં ચર્ચા દરમિયાન સિદ્ધૂએ પાકિસ્તાનની પોતાની યાત્રાની તુલના દક્ષિણ ભારતની યાત્રા સાથે કરી અને પાકિસ્તાનની યાત્રાને સારી ગણાવી.
નવજોતસિંહ સિદ્ધૂએ કહ્યું કે પાકિસ્તાનમાં તમે ક્યાંય પણ જાઓ ના તો ત્યાં ભાષા બદલાય છે ના તો જમવાનું બદલાય છે કે ના તો લોકો બદલાય છે.
જ્યારે દક્ષિણ ભારતમાં જવાથી ભાષાથી લઈને ખાણી-પીણી તમામ બદલાઈ જાય છે. એટલું જ નહીં પણ દક્ષિણ ભારતમાં રહેવા માટે અંગ્રેજી કે તેલગુ ભાષા પણ શીખવી પડે છે. પરંતુ પાકિસ્તાનમાં આવું જરૂરી નથી.
ત્યારે નવજોતસિંહ સિદ્ધૂના આ નિવેદન બાદ ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સિદ્ધૂ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને ત્યારે પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ગળે પણ મળ્યા હતા. ત્યારે આ વિવાદે ઉગ્ર રૂપ લીધુ હતું.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...