પુલવામા આતંકી હુમલામાં 40 CRPFની શહીદી બાદ દેશ ભરમાં ગુસ્સો છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટર હરભજન સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારતે આગામી વિશ્વ કપમાં પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમવી જોઇએ નહીં. હરભજનસિંહે કહ્યું કે આપણે પહેલા ભારતીય છે અને ત્યારબાદ ક્રિકેટર છે અમારા માટે દેશની ઉપર કંઇ પણ નથી.
ઓફ સ્પિનર હરભજન સિંહે આતંકી હુમલાને કાયરાના જણાવતાં કડક શબ્દોમાં એની ટીકા કરી. એને કહ્યું કે પાકિસ્તાન વારંવાર આવી હરકતો કરે છે અને આપણે પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારના સંબંધ રાખવા જોઇએ નહીં.
હરભજને કહ્યું 'આ કઠિન સમય છે હુમલો થયો છે અવિશ્વસનીય છે અને ખોટું છે. સરકાર જરૂરથી કડક કાર્યવાહી કરશે એમની પર મને ભરોસો છે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે મને લાગતું નથી કે આપણે એમની સાથે સંબંધ રાખવો જોઇએ નહીં નહીં તો આવું ચાલતું રહેશે.' એને કહ્યું કે આપણે દેશની સાથે ઊભા રહેવું જોઇએ ક્રિકેટ અથવા હોકી અથવા કોઇ પણ રમતમાં એમની સાથે રમવું જોઇએ નહીં.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન માટે બોલતા હરભજને કહ્યું કે હુમલા બાદ ઇમરાન ખાનનું કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હરભજને કહ્યું કે મને લાગતું હતું કે ઇમરાન ખાનના આવ્યા બાદ બંને દેશના સંબંધો મજબૂત થશે પરંતુ આવા જ હુમલા થતા રહ્યા તો ભારત ચૂપ રહેશે નહીં ભારતને દરેક જગ્યાએ જવાબ આપતા આવડે છે.