રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે છે. આજે ગુજરાતનાં ઇતિહાસમાં પહેલી વખત વિધાનસભામાં રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ થાય એવી વાતો કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે
વિધાનસભ્યને સંબોધન
સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીનો કર્યો ઉલ્લેખ
ગુજરાત સાથે મારો જૂનો નાતો: રાષ્ટ્રપતિ
ગુજરાત સાથે મારો જૂનો નાતો રહ્યો છે, હું યુવાન હતો ત્યારે મોરારજી દેસાઇ સાથે કામ કરવાનો મોકો મળ્યો અને તે બાદ નરેન્દ્રભાઈ મોદી સાથે પણ મને કામ કરવાનો મોકો મળ્યો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
ઉમાશંકર જોશીની કવિતાની પંક્તિઓ
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંભળાવી ઉમાશંકર જોશીની કવિતાની પંક્તિઓ
ગુજરાત વિધાનસભા પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અધ્યક્ષ નિમાબેન આચાર્યએ કર્યું સ્વાગત
દેશના પ્રથમ નાગરિક એવા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ વિધાનસભામાં સંબોધન કરવાના છે. આજે તેઓનાં સ્વાગત માટે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. સાથે ગુજરાતનાં પ્રથમ નાગરિક એવા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા.
સુસ્વાગતમ્
ગુજરાતના પ્રવાસે પધારેલ દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથજી કોવિંદ નું અમદાવાદ હવાઈમથક ખાતે ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.@rashtrapatibhvnpic.twitter.com/i4vCx1nnME
ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આજે આવી રહ્યા છે. 25 માર્ચના INS વાલસુરા નેવી મથકના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની સૂચના
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભામાં સંબોધનને લઈને તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની સુચના પણ આપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિનું સંબોધન ન થાય ત્યાં સુધી કોઈને ગૃહ ન છોડવા આદેશ પણ કરી દેવામાં આવ્યો હતો. અગાઉથી સૂચના આપી દેવામાં આવી હતી કે વિધાનસભા ગૃહમાં પોલીસ રાષ્ટ્રગીત વગાડશે. અને રાષ્ટ્રપતિના સંબોધન પૂર્ણ થયા બાદ સભ્યો પોતાની બેઠક પર ઊભા થશે. સંબોધન પૂર્ણ થયા બાદ બપોરે એક વાગ્યે વિધાનસભાગૃહ ફરી મળશે.
દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી આજે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે વિધાનસભા ખાતે પોતાનું સંબોધન કરશે.આપણે સૌ આ અવસરે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ.@rashtrapatibhvn
25 માર્ચે જામનગરની મુલાકાતે રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.
INS વાલસુરાનુ મહત્વ ?
વાલસુરાને વર્ષ 1942માં રોયલ ઈંડિયન નેવીના ટોરપીડો ટ્રેનિંગ સ્કુલના રૂપમાં કરાયુ હતુ કમિશન
વાલસુરાનો અર્થ સ્વોર્ડફીશ થાય છે જે ટોરપીડોને લઈ જનાર વિમાનનુ પણ નામ હતુ
સ્વતંત્રતા બાદ તેનુ નામ બદલીને ઈન્ડિયન નેવલ શીપ વાલસુરા કરાયુ
INS વાલસુરા જામનગરના રોજી દ્વીપના બીચ પર આવેલુ છે
INS વાલસુરામાં ભારતીય નૌસેના, તટરક્ષક દળના અધિકારીઓને અપાય છે ટ્રેનિંગ
ઈલેક્ટ્રિકલ,ઈલેક્ટ્રોનિક્સ,શસ્ત્ર પ્રણાલીઓ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અંગે તાલીમ અપાય છે
INS વાલસુરામાં મિત્ર વિદેશી દેશોના અધિકારીઓને પણ અપાય છે ટ્રેનિંગ
લગભગ 80 વર્ષથી કાર્યરત હોવાથી તેની પોતાની આગવી ઓળખ ઉભી થઈ છે
રાષ્ટ્રપતિનો દ્વારકાનો 24 માર્ચનો કાર્યક્રમ કર્યો હતો રદ
મહત્વનું છે કે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. અને દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા જેને લઈને તૈયારીઑ પણ કરી લેવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો.