પ્રધાનમંત્રી મોદીએ 24 જૂનના દિવસે દિલ્હીમાં સર્વદળીય બેઠક બોલાવી રહ્યા છે.
24 જૂનના દિવસે દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે બેઠક
મિટિંગનો એજન્ડા હજી સુધી સ્પષ્ટ નથી
મહેબૂબા મુફ્તી રવિવારે પોતાના નેતાઓ સાથે બેઠક કરી વિચારણા કરશે
24 જૂનના દિવસે દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે બેઠક
પ્રધાનમંત્રી મોદીએ 24 જૂનના દિવસે દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે સંવેદનશીલ બેઠક બોલાવી છે. આ ઘટનાને કાશ્મીરની રાજનીતિમાં ઘણા મોટા ફેરફાર અને ઘણી મોટી શરૂઆત થવાની હોય તેવું લાગી રહ્યું છે. PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ આ મિટિંગના સંદર્ભમાં કહ્યું કે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરવાના નિમંત્રણ પર ચર્ચા કરવા માટે રવિવારે નેતાઓ સાથે એક બેઠક કરશે. બધા જ દળની બેઠકમાં સામેલ થવું કે નહીં તે નક્કી કરવા માટે આ રવિવારે PAC બેઠક બોલાવવામાં આવી છે.
મિટિંગનો એજન્ડા હજી સુધી સ્પષ્ટ નથી
મહબૂબા મુફ્તીએ કહ્યું કે "હા, અમને ફોન આવ્યો છે પણ અમેને હજી ઔપચારિક રીતે આમંત્રણ નથી મળ્યું. સર્વ દળીય બેઠકમાં સામેલ થવું કે નહિ, આ વિષય પર ચર્ચા કરવા માટે PAC બેઠક બોલાવી છે. નવી દિલ્હીમાં શું વાત કરવાની છે તે માટે હાલ કોઈ સ્પષ્ટ એજન્ડા છે નહિ. મને કહેવામાં આવ્યું છે કે માત્ર સમીક્ષા કરવા માટે અને રાજનૈતિક પ્રક્રિયાને આગળ કઈ રીતે લઈ જવી, આ માટે આ બેઠક બોલાવવામાં આવી છે. બીજો કોઈ સ્પષ્ટ એજન્ડા છે નહીં.
મહેબૂબા મુફ્તી રવિવારે પોતાના નેતાઓ સાથે બેઠક કરી વિચારણા કરશે
મુખ્ય રૂપે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમાં વિધાન સભાની ચૂંટણી કરવા માટે રાજનૈતિક પ્રક્રિયાઓ મજબૂત કરવા માટે કેન્દ્રની આ પહેલ હેઠળ PM મોદી દ્વારા 24 જૂનના રોજ બધા જ રાજનૈતિક દળો સાથે બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. મહબૂબાના નેતૃત્વમાં રવિવારે થનારી બેઠકમાં આર વીરી, મૂહમદ્દ સરતાજ મદની, લોન હજુરા, ડૉ. મહબૂબ બેગ, નઇમ અખ્તર, સુરિન્દર ચૌધરી, યક્ષપાલ શર્મા, માસ્ટર તસ્સદૂક, અબ્દુલ ગફ્ફાર, નિજામ ઉદ્દીન ભટ જેવા નેતાઓ સાથે બીજા ઘણા અધિકારીઓ પણ સામેલ થશે.