ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત હાલ યથાવત્ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલમં વેંટિલટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિનો ઉપચાર કરી રહેલા ડૉકટરોનું કહેવું છે કે પ્રણવ મુખર્જીનુ મહત્વપૂર્ણ અને ક્લિનિકલ સુધાર યથાવત છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિના દિકરા અભિજીત મુખર્જીએ જણાવ્યું કે તેમના પિતાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે અને હાલ તેઓની તબિયત સ્થિર છે.
પ્રણવ મુખર્જીએ ગત સોમવાર 10 ઓગસ્ટે ટિ્વટ કર્યું હતું કે તેઓ કોવિડ -19ના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં છે અને છેલ્લા અઠવાડિયે સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેશનમાં જવાની અને કોવિડ -19 ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (84 વર્ષ) ને ગત સોમવાર 10મી ઓગસ્ટે બપોરે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સર્જરી કરવામાં આવી હતી. જો કે સર્જરી પહેલા કોરોનાની પુષ્ટિ પણ થઈ હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિકરા અભિજીત મુખર્જીએ રવિવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે શનિવારે તેઓનો જોવા હોસ્પિટલ ગયો હતો. તેમની પર દવાની અસર જોવા મળી રહી છે. અભિજીત મુખર્જીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તેઓ જલ્દી આપણા બધાની વચ્ચે હશે.