વિધાનસભામાં પ્રદીપસિંહની કોંગ્રેસને ઓફર મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે પ્રદીપસિંહને તેમના વક્તવ્યમાં એટલા માટે આવું કહ્યું હતું કે, લોકોનું ભાજપ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. ભાજપ આવે તેમને આવકારે છે. એટલું જ નહીં સભ્ય પણ બનાવે છે.
વિધાનસભામાં પ્રદીપસિંહની કોંગ્રેસને ઓફર મામલો
પ્રદીપસિંહની ઓફર અંગે નિતીન પટેલની પ્રતિક્રિયા
લોકોનો ઝૂકાવ ભાજપ તરફ વધતો જાય છેઃ નીતિન પટેલ
ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને થયા હતા. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં કહી દીધું હતું કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, જેને ઇચ્છા હોય તે ભાજપમાં જોડાઈ શકે છે.
અભેસિંહ તડવીએ પોતાના સંબોધન બાદ સરકારના વખાણ કર્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કટાક્ષ કર્યો કે, સરકારના ગમે તેટલા વખાણ કરો. પરંતુ તમે પ્રધાન તો નહીં જ બની શકો. કારણ કે, પ્રધાન મંડળ આઉટ સોર્સિંગથી ચાલે છે.
વિધાનસભામાં અભેસિંહ તડવીએ સરકારના વખાણ કર્યા હતા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કટાક્ષ કરતા કહ્યું હતું કે, સરકારના ગમે તેટલા વખાણ કરો. પરંતુ તમે મંત્રી તો નહીં જ બની શકો. કારણ કે, મંત્રીમંડળ આઉટ સોર્સિંગથી ચાલે છે.
ગુલાબસિંહ રાજપૂતના આ કટાક્ષ બાદ પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી દરમિયાન જેને ભાજપમાં જોડાવવું હોય તે આવી શકે છે, તેવું આમંત્રણ આપી દીધું. જો કે, રાજપૂતે કહ્યું કે, કોંગ્રેસે જે આપ્યું છે, તે ભાજપ નહીં આપી શકે. આ શાબ્દિક લડાઈ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવે ત્યારે ભાજપ ડરીને ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. તે ફરી શરૂ થઈ ગયું છે.