ભારતીય સેના હવે પૂંચ અને રાજૌરી સેકટર સાથે સંકળાયેલ એલઓસી પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ બંને જિલ્લા સાથે સંકળાયેલ વાસ્તવિક અંકુશ રેખા (LoC) ઓળંગીને પણ રવિવારે કરવામાં આવેલી તંગધાર અને નીલમ ખીણ જેવી કાર્યવાહી ભારતીય સેના કરી શકે છે.
પૂંચ-રાજૌરી સેકટરની LoC પર ભારતીય સેના કાર્યવાહી માટે તૈયાર
ભારત પોતાની લડાઇ લડવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને સજ્જ
સેના પ્રમુખ બિપિન રાવતે આપ્યું મોટુ નિવેદન
ભારતીય સેના રાજૌરી અને પૂંચ સેક્ટરની LoC પાર કરી શકે છે મોટી કાર્યવાહી
અહેવાલો અનુસાર રાજૌરી અને પૂંચ સેકટરમાં પાકિસ્તાન આતંકીઓનો ખડકલો કરી રહ્યું છે અને આતંકીઓને ઘુસાડવા માટે લોન્ચ પેડ પણ તૈયાર કરી રહ્યું છે. રાજૌરી અને પૂંચમાં આતંકીઓની ઘૂસણખોરીને નાકામિયાબ બનાવવા સેના આ ક્ષેત્રમાં પાક. દ્વારા તૈયાર કરવામાં આવેલ લોન્ચ પેડને તબાહ કરવા સર્જિકલ સ્ટ્રાઇક જેવી મોટી કાર્યવાહી હાથ ધરી શકે છે.
એર સ્ટ્રાઇ બાદ PoKમાં ભારતે કરી મોટી કાર્યવાહી
સૌ પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક પછી એર સ્ટ્રાઇક અને હવે પાકિસ્તાન હસ્તક કાશ્મીર (PoK) પર આતંકીઓ પર ભીષણ ગોળીબાર કરીને તેમના લોન્ચ પેડને તહસનહસ કરી નાખીને ભારતે પાકિસ્તાન અને તેના હમદર્દ રાષ્ટ્રોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારત હવે પોતાની લડાઇ લડવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને સુસજ્જ છે.
ભારતે કરેલ કાર્યવાહીનો પાકિસ્તાન દ્વારા કરાયો વિરોધ
દરમિયાન પાક. હસ્તકના કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકી લોન્ચ પેડ તબાહ કર્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયેે ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલુવાલિયાને બોલાવ્યા હતા. પાકિસ્તાને ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો અહલુવાલિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
બિપિન રાવતે આપ્યું મોટું આ નિવેદન
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ સેનાના પ્રમુખ બિપીન રાવતે એક મોટું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે કેટલાક લોકો જમ્મુ-કાશ્મીરમાં માહોલ બગાડવા માટે પરદા પાછળ કામ કરી રહ્યા છે.