કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પિનરાઈ વિજયન સરકાર વચ્ચે વિવાદ વકર્યો છે. રાજ્યપાલે મુખ્યમંત્રી વિજયનને નાણામંત્રી કે એન બાલાગોપાલને પદ પરથી હટાવવા માટે કહ્યું છે. તેમણે પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ મંત્રીપદ પર રહે તેમાં ખુશ નથી.
"Reported statements of (Kerala FM) KN Balagopal are violation of the oath I had administered to him. A minister who deliberately violates the oath & undermines the unity & integrity of India can't continue to enjoy my pleasure," says Kerala Gov in a letter to CM Pinarayi Vijayan https://t.co/AHGDUxd0Dp
રાજ્યપાલ આરિફ મોહમ્મદે લખ્યો પત્ર
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું છે કે, એન બાલાગોપાલે શપથનું ઉલ્લઘન કર્યું છે. તેઓ જાણીજોઈને શપથનું ઉલ્લંઘન કરીને ભારતની એકતા અને અખંડિતતાને નબળી પાડી રહ્યા છે. રાજ્યપાલના આદેશ બાદ સૂત્રા દ્વારા મળતી માહિતી મુજબ કેરળના મુખ્યમંત્રીએ બંધારણ મુજબ નાણામંત્રી બાલગોપાલ વિરુદ્ધ કાર્યવાહી નહી કરીને રાજ્યપાલના નિર્દેશને ભગાવી દીધા હતો.
"નાણામંત્રીને આવકનો સ્ત્રોત દારૂ અને લોટરી છે"
રવિવારને 23 ઓક્ટોબરના રોજ ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે નાણામંત્રી કે એન બાલગોપાલની આવકનો મુખ્ય સ્ત્રોત દારૂ અને લોટરી છે. તેઓ એ સવાલ કર્યો હતો કે, શું યુપીના ગવર્નર કેરળની શિક્ષણ વ્યવસ્થાને સમજી શકે છે. તેમણે કહ્યું કે, હું તેમને સલાહ આપું છું કે મારા વિશે બોલે પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિશે આવી ટિપ્પણી ન કરે. તેમણે વધુમાં જણાવ્યું કે કેરળ ટેકનિકલ યુનિવર્સિટીના વીસીની નિમણૂક વિરુદ્ધ કોર્ટે શનિવાર 22 ઓક્ટોબરના રોજ ચુકાદો આપ્યો હતો. આ અંગે, જો તમે કહો છો કે ન્યાયાધીશો કેરળની શિક્ષણ પ્રણાલીને સમજી શકતા નથી કારણ કે તેઓ મહારાષ્ટ્ર અને આસામના છે, તો તમે પોતાને જ મુશ્કેલીમાં મૂકી રહ્યા છો.