રાજકોટમાં નર્મદા પાઈપ લાઈનમાં ભંગાણ થતા પોલીસે પૃથ્વી સિંહ જાડેજાની ધરપકડ કરી છે. ત્યારે ધરપકડ બાદ વડાળી ગ્રામજનો અને કરણીસેનાએ ખોટી રીતે ધરપકડ કરી હોવાના આરોપ પણ લગાવ્યા.... બીજી તરક્ષ ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો. જેને લઈને આઝીડેમ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી... પરંતુ પોલીસે રજૂઆત ના સાંભળતા ક્ષત્રિય સમાજના લોકો ધરણા પર ઉતર્યા... એટલું જ નહીં ધરણા દરમિયાન પોલીસ સ્ટેશનમાં જ રામધૂન પણ બોલાવી......