ગૃહમંત્રી અમિત શાહે પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક કેસની તપાસ માટે ત્રણ સભ્યોની ટીમની રચનાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂક મામલો
ગૃહમંત્રી અમિત શાહે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી
કમિટી સુરક્ષા ચૂક કેસની તપાસ કરીને રિપોર્ટ આપશે
આખરે કેન્દ્ર સરકારે પ્ર્ધાનમંત્રી મોદીની કહેવાતી સુરક્ષા ચૂક મામલે મોટી કાર્યવાહી કરી દીધી છે. પીએમ મોદીની સુરક્ષા ચૂકે કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ગૃહમંત્રાલયે સુરક્ષા ચૂક કેસની તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે.
Ministry of Home Affairs(MHA) has constituted a committee to enquire into the serious lapses in the security arrangements during Hon'ble Prime Minister Shri Narendra Modi’s visit to Ferozepur, Punjab on 05.01.2022,which led to the exposure of the VVIP to grave security risk.
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) January 6, 2022
3 સભ્યોની કમિટીને વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ સુપ્રત કરવાનું પણ ગૃહમંત્રાલયે જણાવી દીધું છે. ગૃહમંત્રાલયનો ઓર્ડર મળતા કમિટીએ તેનું કામ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે. કમિટી જરુર પડે પંજાબની પણ મુલાકાત લેશે અને ત્યાં જઈને જાત માહિતી મેળવશે.
The Ministry of Home Affairs has sought a detailed report on today’s security breach in Punjab. Such dereliction of security procedure in the Prime Minister’s visit is totally unacceptable and accountability will be fixed.
ત્રણ સભ્યોની કમિટીની આગેવાની સુધીર કુમાર સક્સેના (સેક્રેટરી સિક્યોરિટી- કેબિનેટ સચિવાલય) કરશે અને તેમાં બલબીર સિંહ (સંયુક્ત ડાયરેક્ટર, આઇબી) અને એસ સુરેશ (આઇજી, એસપીજી) સામેલ છે.આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના સુરક્ષા ભંગ બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે પંજાબમાં પીએમ મોદીના સુરક્ષા ઉલ્લંઘન અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે.
શું છે મામલો
પંજાબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બુધવારે ગંભીર ચૂકની ઘટના બની હતી. પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોજપુરથી 30 કિમી દૂર હતો ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી નાખ્યો હતો, આને કારણે પ્રધાનમંત્રી મોદીને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું. આ પછી પ્રધાનમંત્રીએ ફિરોજપુરની રેલી રદ કરી નાખી હતી અને દિલ્હી પાછા આવી ગયા હતા.
જવાબદાર સામે પગલાં ભરવાની ગૃહમંત્રાલયની માગ
આ ઘટનાની ગંભીર નોંધ લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે પંજાબ સરકારને જવાબદાર સામે કડક પગલાં ભરવાનો ઓર્ડર આપ્યો છે. તથા પંજાબની કોંગ્રેસ સરકાર પાસેથી આ અંગે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.