બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 06:23 PM, 27 July 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જેમણે અહીં ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કર્યું છે. ત્યાર બાદ વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે. આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે રાજકોટ સાથે સાથે ગુજરાત માટે મોટો દિવસ છે.
'એરપોર્ટથી ઉદ્યોગોને ખૂબ લાભ થશે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ એરપોર્ટથી ઉદ્યોગોને ખૂબ લાભ થશે. વધુમાં કહ્યું કે, અમે સુશાનની ગેરેન્ટી આપી હતી તે પૂરી કરી રહ્યાં છીએ તેમજ ગરીબ હોય, દલીત હોય કે આદીવાસી હોય જે તમામનું જીવન સારૂ બનાવવા માટે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારી સરકારના પ્રયાસોથી દેશમાં ગરીબી ઓછી થઈ રહી છે. હમણા આવેલા રિપોર્ટ મુજબ અમારી સરકાના પાંચ વર્ષોમાં 13.5 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે.
'ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે'
PM મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વાળાઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે પરંતુ તેમનો ઇરાદો આજે પણ એજ છે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે.
'દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ બની'
પ્રધામંત્રીએ કહ્યું કે, લીલી ઝંડી દેખાડવાનો મોકો મને રાજકોટે આપ્યો છે તેમજ રાજકોટમાં નવું એરપોર્ટ બનતા જ દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ બની છે. તેમણે ઉમેર્યું કે, અમારી સરકારની પ્રાથમિકતામાં મિડલ ક્લાસ પણ છે નિયો મિડલ ક્લાસ પણ છે એટલે કે સંપૂર્ણ રીતે મધ્યમ વર્ગ છે. તેમણે કહ્યું કે, અગાઉ પરિવહનને લઈ ફરિયાદો હતી પરંતું આજે દેશમાં વંદે ભારત જેવી સેવા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, હવાઈ સેવામાં ભારતે નવા વિકાસની ઉંચાઈ આંબી છે અને આજે 1 હજાર વિમાન ઓર્ડર બુક છે. વધુમાં એમ પણ કહ્યું કે, ચૂંટણી સમયે મેં કહ્યું હતું કે, ગુજરાત પ્લેન પણ બનાવશે અને આજે ગુજરાત એ દિશામાં આગળ વધી રહ્યું છે.
વિકાસ કાર્યોની ભેટ
રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army