વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના રસીકરણ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. વડા પ્રધાને તેમના સંબોધનમાં કહેવાનો પ્રયાસ કર્યો કે રસીકરણ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેના વિશે હવે કોઈ પ્રશ્ન બાકી રહેતો નથી, સાથે જઓ પીએમ મોદીએ આહ્વાન કર્યું હતું કે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આમાં સાથે મળીને કામ કરવું પડશે.
રસીકરણ અભિયાનને લઈને પીએમ મોદીએ કરી બેઠક
મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ કરી હતી બેઠક
આપણે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ: પીએમ મોદી
આજે મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે ભારત કોવિડ સામેની લડાઈમાં હવે રસીકરણના નિર્ણાયક તબક્કે પ્રવેશી રહ્યું છે, 16 જાન્યુઆરીથી વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થશે, કોરોના અંગેની કામગીરીમાં સરકારની ભૂમિકાના વખાણ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે સૌએ સાથે મળીને કામ કર્યું હતું, અને ઝડપથી નિર્ણય લેવામાં આવ્યા હતા અને તેથી જ અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક નથી થયું.
અફવાઓ રોકવાની જવાબદારી રાજ્યોની
વડા પ્રધાને કહ્યું કે રસીકરણ સંબંધિત કોઈપણ અફવાઓને અટકાવવી એ રાજ્યોની જવાબદારી છે. લોકોમાં મૂંઝવણ ફેલાવવા માટે ઘણા પરિબળો તેમાં કામ કરશે. તેથી આપણે જાગ્રત રહેવાની અને કોઈપણ અફવાને ફેલાતી રોકવાને જરૂર છે. દેશ અને વિશ્વના ઘણા તોફાની તત્વો આપણા અભિયાનમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે. આપણે દેશના દરેક નાગરિક સુધી યોગ્ય માહિતી પહોંચાડીને આવી દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવું પડશે.
વડા પ્રધાને કહ્યું કે આપણા બધા માટે ગૌરવની વાત છે કે કટોકટીના ઉપયોગ માટે જે બે રસીઓને મંજૂરી મળી છે તે બંને ભારતમાં બનાવવામાં આવે છે. અમે ભારતના લગભગ દરેક જિલ્લામાં સફળતાપૂર્વક ડ્રાય રન પૂર્ણ કર્યા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. આપણે આપણા જૂના અનુભવો સાથે નવી એસઓપી પર આગળ વધવું પડશે.
કોણ પ્રથમ રસી મેળવશે?
વડા પ્રધાને કહ્યું કે કોરોનાની પહેલી રસી સૌથી પહેલા લોકોની સેવામાં લાગેલા લોકોને અપાશે, સરકારનો પ્રથમ પ્રયાસ એવા લોકો સુધી કોરોના રસી પહોંચાડવાનો છે કે જેઓ રાત-દિવસ દેશવાસીઓના સ્વાસ્થ્ય સંરક્ષણમાં સામેલ છે, એટલે કે આપણા આરોગ્ય કર્મચારીઓ તેઓ સરકાર હોય કે ખાનગી. ત્યાં સફાઈ કામદારો છે, અન્ય ફ્રન્ટ લાઇન વર્કર્સ છે, લશ્કરી દળ, પોલીસ અને કેન્દ્રીય સૈન્ય છે, હોમગાર્ડઝ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્વયંસેવકો સહિત નાગરિક સંરક્ષણના કર્મચારીઓ, નિયંત્રણ અને સર્વેલન્સ સંબંધિત કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે.