વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠક 2021ને સંબંધતા કહ્યું કે આજે દેશમાં એવી સરકાર છે જે રાષ્ટ્રહિત માટે મોટામાં મોટું રિસ્ક ઉછાવા તૈયાર છે. સાથેજ તેમણે કહ્યું કે GST આટલા વર્ષોથી એટલા માટે અટકી રહ્યો હતો કારણકે પહેલાની સરકાર રાજનૈતિક જોખમ લેવા નહોતી માગતી
GST કલેકશનનો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું કે અમે જીએસટીની લાગૂ તો કર્યું સાથેજ આજે લોકો જીએસટી કલેકશન પણ જોઈ શકે છે. ઉપરાંત તેમણે કહ્યું કે હાલ દેશમાં ease of doing businness વધી રહ્યો છે અને Ease of livingમાં પણ વધારો થઈ રહ્યો છે.
દેશની વસ્તુઓ સાથે ભારતીય લોકોની ભાવના
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા એવો સમય હતો કે જ્યારે લાગતું હતું કે વિદેશી વસ્તુઓ સારી છે. પરંતુ આજે પરિસ્થિતી બદલાઈ છે. આજે ભારતીય લોકોની ભાવના તેમના દેશમાં જે વસ્તુઓ બને છે. તેની સાથે જોડાયેલી છે. આજે દરેક ભારતીય દેશમાં જે પણ પ્રોડક્ટ બને છે તેને સ્વીકારી રહ્યો છે.
ભારતનો યુવાન રિસ્ક લેવા માગે છે
વડાપ્રધાને એવું પણ કહ્યું કે આજે ભારતનો યુવાન જ્યારે મેદાનમાં ઉતરે છે. ત્યારે તે મહેનત કરી જાણે છે. તે રિસ્ક લેવા માગે છે સાથેજ આજનો યુવાન રિસ્કની સાથે પરિણામ લાવવા પણ માગે છે. આપને જણાવી દીએ કે આ બેઠકમાં સિંગાપુરના ઉપ પ્રધાનમંત્રીએ પણ ભાગ લીધો હતો.
વોકલ ફોર લોકલનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે અગાઉ કાપડ મંત્રી પિયૂષ ગોયલે પણ 9 ઓગસ્ટે વેપારી દિવસ નિમિત્તે વેપારીઓને સંબોધીત કર્યા હતા. જેમા તેમણે વેપારીઓના યોગદાનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપારી અર્થ વ્યવસ્થા સંભાળી જાણે છે. સાથેજ તેમણે વોકલ ફોર લોકલનો પણ સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.