50 વર્ષ પછી ફરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રસંગ આંગળએ આવી ઉભો છે. 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આ ભૂમિ પૂજન દરમિયાન પીએમ મોદી સહિત 200 મહેમાનોને આમંત્રણ મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે.
200 મહેમાનોને લીસ્ટને PMOની મંજૂરી મળી ગઈ
સાધુ-સંત અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવશે
ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણીને પણ મહેમાનગતિ કરશે
ભૂમિ પૂજન કાર્યક્રમમાં 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. 200 મહેમાનોને લીસ્ટને PMOની મંજૂરી મળી ગઈ છે. સાધુ-સંત અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેશે. RSS સુપ્રિમો મોહન ભાગવત પણ કાર્યક્રમમાં ભાગ લેશે. ભાગવત સાથે 50 સાધુ સંતોની હાજરી પ્રસંગને શોભાવશે. એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોષી પણ હાજર રહેશે.
આ પ્રસંગે ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણીને પણ આમંત્રણ આપવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મહેમાનોને 50-50ની શ્રેણીમાં વિભાજીત કર્યા. 50 મોટા સાધુ સંતો, 50 ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આમંત્રણ મોકલવામાં આવશે. રામ મંદિર સાથે જોડાયેલા 50 નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે. આ પ્રસંગે 200 જેટલા મહેમાનોની યાદી તૈયાર છે જેમને નિમંત્રણ મોકલી દેવામાં આવશે.
આ કારણે લીલા રંગથી તૈયાર થઈ રહ્યા છે રામલલાના પરિધાન
અયોધ્યામાં તૈયારીઓને લઈને મળતી માહિતી અનુસાર અનેક આયોજન કરાશે. આ સાથે રામ લલાને પણ વિશેષ રીતે શણગાર કરાશે. તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલા વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા, રજાઈ બધું જ લીલા રંગનું હશે. કેમકે 5 ઓગસ્ટે બુધવાર છે અને બુધવારનો રંગ લીલો માનવામાં આવે છે. અયોધ્યામાં પણ વિકાસ કાર્યનો વેગ વધારી દેવાયો છે.