ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવમાં વધારો થઇ રહ્યો છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ દેશભરમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. સર્વપક્ષીય બેઠકમાં PMએ કહ્યું હતું કે દેશની સરહદમાં કોઈ ઘૂસ્યું નથી, જે બાદ રાહુલ ગાંધી સહીતના નેતાઓએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા જે બાદ હવે વડાપ્રધાનના કાર્યાલય તરફથી સફાઈ આપવામાં આવી.
વડાપ્રધાનના નિવેદન બાદ શરુ થયો વિવાદ
વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવી સ્પષ્ટતા
ચીને અતિક્રમણના પ્રયત્ન કર્યા હતા પણ સૈનિકોએ શૂરવીરતાથી સામનો કર્યો : PMO
વડાપ્રધાનના નિવેદન પર સફાઈ આપતા PMOથી કહેવામાં આવ્યું કે ભારતમાં ઘુષણખોરી ન કરી હોવાની વાતને તોડીમરોડીને પ્રસ્તુત કરવામાં આવી છે. PMએ LAC પર ભારતની સીમા પર ચીનની સેના ન હોવાની વાત દેશની સેનાની શૌર્યથી જોડાયેલ છે. 15મી જૂને ગલ્વાનમાં ચીને અતિક્રમણથ કરવાના પ્રયત્ન કર્યા હતા જેને ભારતની સેનાએ નાકામ કરી બતાવ્યું.
PMOએ વિસ્તૃત સ્પષ્ટતા આપતા કહ્યું કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ નિવેદન 15મી જૂનની ઘટના પર કેન્દ્રિત હતું જેમાં વીસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો અર્થ હતો કે ભારતીય સેનાની શૂરવીરતાના કારણે ભારતની સીમામાં કોઈ ચીની સૈનિક રહી ન શક્યો.
ઘણા લોકો દ્વારા PMના નિવેદન પર વિવાદ કરવામાં આવતા કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે PMના નિવેદન પર અનાવશ્યક વિવાદ પેદા કરવામાં આવ્યો છે. જ્યારે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે. ભારતનું ક્ષેત્ર કેટલું છે તે નકશામાં જ સ્પષ્ટ છે અને તે પ્રતિ સરકાર દ્રઢતાથી સંકલ્પબદ્ધ છે. 60 વર્ષોમાં 43 હજાર ચો.કિમી. વિસ્તારની ભારતની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું. પણ સરકાર LAC એકતરફી પરિવર્તનની નૌમતી કોઈને નહીં આપે.