બજેટ 2022 પર પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, ખેતરોમાં હરિયાળી આવશે. ઘરોમાં પુરતુ પાણી આવશે, ખેતરોમાં પાણી આવશે
બજેટ 2022 પર પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીનું આ સંબોધન વર્ચુઅલી થઈ રહ્યું છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, એક વર્ષના બજેટને એક કલાકમાં બોલી નાખ્યું ખૂબ જ અઘરુ કામ છે.
પીએમ મોદીએ કહ્યું કે, કાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ સુંદરાતથી, સારી રીતે બજેટના એક એક પાસા પર રજૂઆત કરી. બજેટ સ્પીચમાં આખુ બજેટ રજૂ કરવું શક્ય હોતુ નથી. કારણ કે, બજેટમાં બહું મોટા દસ્તાવેજો હોય છે. ઝીણવટપૂર્વકની છણાવટ હોય છે તથા આ બધું સદનમાં બોલવું શક્ય હોતુ નથી.
The budget was has been appreciated. Prior to 7 years, India's GDP was Rs 1 lakh 10,000 crores but today it's about Rs 2 lakh 30,000 crores. Even country's forex reserves have increased to $630 billion from $200 billion. All of this due to our govt's effective policies: PM Modi pic.twitter.com/EbtT5ptNOB
પ્રધાનમંત્રીએ કહ્યું કે, હાલના સમયમાં 100 વર્ષમાં આવેલી સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે દેશ લડી રહ્યો છે. કોરોનાનો આ કાળખંડ દુનિયા માટે અનેક પડકારો લઈને આવ્યો છે. દુનિયા હાલ એવી જગ્યાએ આવી ઊભી છે કે, જ્યાંથી ટર્નિંગ પોઈન્ટ નિશ્ચિત છે. આગળની જે દુનિયા આપણે જોવાના છીએ, તે એવી નહીં હોય, જેવી કોરોના પહેલા હતી.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત માટે નવી રીતે તૈયારીઓનું, નવા અવસરોનું, નવા સંકલ્પની સિદ્ધીનો આ સમય છે. બહું જરૂરી છે કે, ભારત આત્મનિર્ભર બને અને તે આત્મનિર્ભરત ભારતના પાયા પર એક આધુનિક ભારતનું નિર્માણ થાય.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આગળ કહ્યું કે, છેલ્લા સાત વર્ષોમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે, જે નીતિઓ બની છે. પહેલાની જે નીતિઓમાં સુધારો થયો છે, તેના કારણે આજે ભારતની અર્થવ્યવ્સથઆનો નિરંતર વિસ્તાર થઈ રહ્યો છે. 7-8 વર્ષ પહેલા ભારતનો GDP 1 લાખ 10 હજાર કરોડ રૂપિયા હતો, આજે ભારતની અર્થવ્યવસ્થા 2 લાખ 30 હજાર કરોડની આજૂબાજૂ છે.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે ગરીબોને મૂળભૂત સુવિધા મળે છે, તો પોતાની ઊર્જા, વિકાસ, દેશના વિકાસમાં લગાવે છે. આ બજેટનું ફોક્સ પણ ગરીબ, મીડલ ક્લાસ અને યુવાનોને માળખાગત સુવિધાઓ આપવા અને આવકના સ્થાયી સમાધાન સાથે જોડવા પર છે.
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, ખેતરોમાં હરિયાળી આવશે. ઘરોમાં પુરતુ પાણી આવશે, ખેતરોમાં પાણી આવશે. તેમણે કહ્યું કે, સરકારના પ્રયત્નોથી આજે દેશમાં લગભગ લગભગ 9 કરોડ ગ્રામિણ લોકોને નળથી જળ પહોંચાડી રહ્યા છીએ. તેમાંથી લગભગ 5 કરોડથી વધારે લોકોને નળ કનેક્શન, જલ જીવન મિશન અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં આપવામાં આવી છે. અત્યારે લગભગ 9 કરોડ ગ્રામિણ લોકોના ઘરને નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, તેમાંથી લગભગ 5 કરોડથી વધારે પાણી કનેક્શન જળ જીવન મિશન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં આપવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, આ વર્ષે લગભગ 4 કરોડ ગ્રામિણોના ઘરમાં પાણીનું કનેક્શન આપવામાં આવશે.