આજે બંધારણ દિવસ નિમિત્તે કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે અમે આ આઘાતને નહીં ભૂલી શકીએ.
બંધારણ દિવસે પીએમ મોદીએ દેશને કર્યું સંબોધન
વન નેશન વન ઇલેક્શન મુદ્દે કહી આ મોટી વાત
"દરેક વ્યક્તિને રાષ્ટ્રહિતમાંઅ કામ કરવું જોઈએ":પીએમ મોદી
આતંકવાદ સાથે લડાઈના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્ષ 2008 માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ આજનું ભારત હવે નવી નીતિ સાથે આતંકવાદનો સામનો કરી રહ્યો છે.
વન નેશન વન ઇલેક્શન આજની જરૂરિયાત : પીએમ મોદી
આ સાથે જ પીએમ મોદી એ વધુમાં કહ્યું હતું કે વન નેશન અને વન ઇલેક્શનએ આજે ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિનામાં દેશમાં ક્યાંક ક્યાંક ચૂંટણી યોજાતી હોય છે, તેથી આ પર મંથન શરૂ થવું જોઈએ.નોંધનીય છે કે આ મુદ્દે તેઓ પહેલા પણ ઘણા મંચથી આ મુદ્દાની વકાલત કરી ચૂક્યા છે. સામાન્ય પણે એવું મનાય છે કે ભારતમાં દર વર્ષે અમુક ચૂંટણીઓ હોય છે જેથી નેતાઓ અને મશીનરી ચૂંટણીમાં જ વ્યસ્ત રહે છે અને વિકાસના કામો પર ધ્યાન આપી શકતું નથી.
વધુમાં ચૂંટણીઓ અંગે પીએમ મોદી એ કહ્યું હતું કે કોરોના રોગચાળાના સમયે, વિશ્વમાં પણ અમારી ચૂંટણી પ્રણાલીની તાકાત જોવા મળી છે. તેમણે કહ્યું કે આટલા મોટા સ્તરે ચૂંટણીઓ, સમયસર પરિણામો, નવી સરકારની રચના સારી રીતે થવી તે એટલું સરળ નથી. અમને આપણા બંધારણમાંથી જે તાકાત મળી છે તે આવા બધા મુશ્કેલ કાર્યો કરવાનું સરળ બનાવે છે.
પીએમ મોદી એ કહ્યું કે બંધારણની સુરક્ષા કરવામાં ન્યાયપાલિકાની ખૂબ મોટી ભૂમિકા છે. પીએમ મોદી એ કહ્યું કે 70 ના દાયકામાં તેને વિસર્જન કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ માત્ર બંધારણે જ તેનો જવાબ આપ્યો. કટોકટીના સમયગાળા પછી પણ સિસ્ટમ મજબૂત થઈ, અમને તેમાંથી ઘણું શીખવા મળ્યું.
વડા પ્રધાન મોદીએ સાંસદોની પ્રશંસા કરી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની જનતાએ કોરોના કાળમાં પણ બંધારણમાં ભરોસો દાખવીને સમર્થન કર્યું છે. આ વખતે સંસદમાં આયોજન કરતા પણ વધારે કામ કરવામાં આવ્યું છે, સાંસદોએ તેમના પગારમાં ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન, દેશએ ચૂંટણીઓ કરી, નિયમો અનુસાર, એક સરકાર પણ બનાવવામાં આવી, જે બંધારણની તાકાત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશ બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે અને લોકશાહીના તહેવારની ઉજવણીમાં મશગૂલ છે. પીએમ મોદી એ કહ્યું કે દરેકએ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. જો આવા મુદ્દાઓ પર રાજકારણ કરવામાં આવે તો તેનો ભોગ બનવું પડે છે.