દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રી મેરિટ લિસ્ટમાં છેડછાડ કરીને કેન્દ્રીય સેવાઓમાં RSSની પસંદ અધિકારીઓની ભરતી કરાવવા માગે છે. રાહુલે ટ્વીટમાં એક પત્ર શેર કરીને લખ્યું છે વિદ્યાર્થીઓ જાગી જાઓ તમારુ ભવિષ્ય સંકટમાં છે.
RSS એ ઈચ્છી રહ્યું છે જે તમારો અધિકાર છે તો રાહુલે ટ્વીટની સાથે હૈંશટેંગના રૂપમાં બાય-બાય UPSC પણ લખ્યું. મહત્વનું છે કે રાહુલ ગાંધીનું આ ટ્વીટ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી 17 મેના રોજ UPSCને લખવામાં આવેલા પત્ર બાદ આવ્યું છે. આ પત્રમાં ફાઉન્ડેશન કોર્ષ માં મળેલા ગુણોને આધારે કેડર આપવાની સલાહ આપવામાં આવી હતી.
Rise up students your future is at risk! RSS wants what’s rightfully yours. The letter below reveals the PM’s plan to appoint officers of RSS’s choice into the Central Services by manipulating the merit list using subjective criteria instead of exam rankings. #ByeByeUPSCpic.twitter.com/VSElwErKqe
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી UPSCના પરીક્ષાર્થીઓને તેમને મળેલા ગુણોને આધારે IAS IPS IFS IRS કેડર આપવામાં આવતા હતા.જે બાદ તેમને લાલ બહાદૂર શાસ્ત્રી એકેડમીમાં તેમનો ફાઉન્ડેશન કોર્ષ થતો હતો.પરંતુ હવે PMOનું કહેવુ છે કે ફાઉન્ડેશન કોર્સના ગુણોને આધારે કેડર આપવામાં આવે એટલે કે UPSCમાં વધુ ગુણા આવ્યા બાદ પણ તે નક્કી નહીં થાય કે તેમને કયો કેડર મળશે.
પરંતુ ફાઉન્ડેશન કોર્સમાં મળેલા ગુણના આધારે કેડર આપવામાં આવશે.POMએ કહ્યું છે કે પરીક્ષાર્થીઓ સફળ થયા બાદ ફાઉન્ડેશન એટલે કે ટ્રેનિંગને ગંભીરતાથી નથી લેતા તેથી ટ્રેનિંગના ગુણોના જ આધારે કેડર ફાળવવામાં આવે.