ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણીની બેઠકમાં રાજ્નાથસિંહની કાર્યકરોને માર્મિક ટકોર .પગ ધરાતલ પર રહેવા જોઈએ
ભાજપ કાર્યકારીણીનો બીજો દિવસ
રાજનાથ સિંહે આવું કેમ કહેવું પડ્યું ?
શુક્રવારે બેઠકનો અંતિમ દિવસ
નર્મદાના કેવડીયા કોલોનીમાં બે દિવસથી ચાલી રહેલી ગુજરાત ભાજપની કાર્ય્કારિણીના બીજા દિવસે કેન્દ્રીય રક્ષામંત્રી રાજ્નાથ સિંહે એક માર્મિક ટકોર કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં ધરાતલ પર રહેવાનું કૌશલ્ય હોવું જોઈએ.
રક્ષામંત્રીએ આપ્યું PM મોદીનું ઉદાહરણ
નર્મદાના સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં છેલ્લા બે દિવસથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારિણી બેઠક ચાલી રહી છે.આ તકે કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાના ઉદબોધનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક માર્મિક ટકોર કરી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કરેલી ટકોરને કાર્યકર્તા પોતાના ગળે બાંધી પાર્ટીના કામ માટે જોતરાયેલા રહે તેઓ આશય હતો. કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર, ગમે તે પદ પર હોય,પરંતુ કાર્યકર જ હોવાનો અહેસાસ તેમનામાં રહેવો જોઈએ.વડપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા તેમને કહ્યું કે, વર્ષ 2014ની ચૂંટણીના પરિણામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મને ફોન આવ્યો હતો,તેઓએ મને ફોનમાં કહ્યું કે,મારે તમને રીપોર્ટ આપવો છે.કાર્યકર તરીકે તેઓની આ કેવી ઉદ્દાત ભાવના ? વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયા હતા.ચૂંટણીમાં જવલંત વિજય છતાં એક કાર્યકર તરીકે તેઓનો જે ભાવ હતો તેવા ભાવ સાથે ભાજપનો કાર્યકર કામ કરે.
માર્મિક ટકોર પાછળનો ઉદ્દેશ
રક્ષામંત્રી રાજનાથ સિંહે આ માર્મિક ટકોરથી ઉપસ્થિત પદાધિકારીઓ/કાર્યકરોને એ સમજાવ્યું કે,તમે ગમે તે પદ પર આસનસ્થ હો, પરંતુ ભાજપના એક અદના કાર્યકર તરીકેની ભાવનાઓ તમારા દરેક વાણી/વર્તનમાં ઝલકવી જોઈએ.કેવડિયામાં ભાજપ કાર્યકારિણીનો શુક્રવારે અંતિમ દિવસ છે.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં આ બીજી કાર્યકારિણી છે. આગામી વર્ષે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે ત્યારે, ભાજપના દરેક પદાધિકારી /કાર્યકરને આગામી રણનીતિ અને ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત કરવા સાથેના રોડ-મેપનું અહીં માર્ગદર્શન અપાયું છે. આપને જણાવી દઈએ કે પ્રદેશ અધ્યક્ષ પાટીલે ગુજરાત વિધાનસભામાં 150 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.