મોદી સરકારે 'જળ શક્તિ અભિયાન' ની શરૂઆત કરી. આ અભિયાનના સામાન્ય લોકો સાથે ખાસ લોકોએ પણ વખાણ કર્યા. તાજેતરમાં પીએમ મોદીના આ અભિયાનની આમિર ખાને વખાણ કરતાં એક પોસ્ટ કરી. આ પોસ્ટ ચર્ચામાં બનેલી છે.
બોલીવુડ એક્ટર આમિર ખાન સમજથી જોડાયેલા મુદ્દાને લઇને હંમેશા પોતાના મંતવ્ય રાખે છે. હાલના દિવસોમાં દેશના ખૂણેખૂણેથી પાણીની તંગીના સમાચાર મળી રહ્યા છે. પાણીની વધતી તંગીની સમસ્યાના કારણે મોદી સરકારે 'જળ શક્તિ અભિયાન' ની શરૂઆત કરી. આ અભિયાનના સામાન્ય લોકો સાથે ખાસ લોકોએ પણ વખાણ કર્યા. તાજેતરમાં પીએમ મોદીના આ અભિયાનની આમિર ખાને વખાણ કરતાં એક પોસ્ટ કરી. આ પોસ્ટ ચર્ચામાં બનેલી છે.
— Jal Shakti Abhiyan (@JalShaktiAbhyan) July 1, 2019
આમિર ખાને ટ્વિટ કરીને લખ્યું- 'પાણીને મૌલિક અને પ્રાથમિક મુદ્દો બનાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલી પહેલ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. અમારું સમગ્ર સમર્થન તમારી સાથે છે. આમિર ખાનની આ પોસ્ટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કરતાં કમેન્ટ કરી.' પીએમ મોદીએ લખ્યું- 'પાણીને બચાવવું અને લોકોને એના માટે જાગરૂક કરવા આમિર ખાનનું આ બિંદુ એકદમ યોગ્ય છે.'
પીએમ મોદીએ 30 જૂને 'મન કી બાત' કાર્યક્રમ દેશમાં વધતા જળ સંકટનો મુદ્દો ઊઠાયો. એમને કહ્યું કે આપણે વર્ષનું માત્ર 8 ટકા પાણી જ સંચિક કરી શકીએ છીએ. જો પાણીના સંગ્રહની ક્ષમતા વધારી દેવામાં આવે તો એનાથી જળ સંકટથી વિપટી શકાય છે. પીએમ મોદીએ દેશના લોકોને પાણીની બચતને સ્વચ્છતા અભિયાનની જેમ એક આંદોલન બનાવવાની અપીલ પણ કરી. પીએમ મોદીના આ 'જળ શક્તિ સંરક્ષણ'ના વખાણ કરવામાં આવી રહ્યા છે.
જળ સંકટથી નિપટવા માટે કેન્દ્ર સરકારે પહેલા જ 'જળ શક્તિ મંત્રાલય' સ્થાપિત કરીને એને પોતાની પ્રમુખતામાં સામેલ કરી લીધી છે. વાસ્તવમાં દિલ્હીમાં પાણી સંકટ એક ગંભીર મુદ્દો છે.