જવાહર મેદાનમાં યોજાઇ રહ્યા છે ‘પાપાની પરી’ સમૂહલગ્ન
વલસાડના કાર્યક્રમ બાદ PM મોદી આજે ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો. આ અવસરે મોટી સંખ્યમાં પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. આ રૂડા અવસરે pm મોદીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતુ કે,આ અવસરનું મને 6 મહિના પહેલાથી આગોતરું નિમંત્રણ હતું, પહેલા ચડસા ચડસીમાં પોતાની જ્ઞાતિમાં આબરૂ દેખાય રુઆબ દેખાય તેથી દેવું કરીને લગ્નો કરાવવાની હોડ હતી, પરંતુ ધીરે-ધીરે સમાજમાં જાગૃતતા આવી છે અને હવે લોકો સમૂહલગ્ન તરફ વળ્યા છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કુંવરબાઇનું મામેરૂ યોજના અમલમાં મુકાવી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં સમાજની શક્તિ અપરંપાર છે આથી ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તમે પણ સંકલ્પ કરો કે કોઈ દીકરી અભણ નહિ રહે. આ ઉપરાંત '552 દીકરીઓને શીખ આપતા જણાવ્યું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં આ ખોટા ખર્ચ બંધ કરી તે રૂપિયા દીકરા-દીકરીના ભવિષ્યમાં કામ આવે તે માટે સાચવજો.
ભાવનગરમાં ‘પાપાની પરી’ સમૂહ લગ્નનું જવાહર મેદાનમાં આયોજન કરાયું છે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઑના લગ્ન યોજાશે.જેનું ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા આયોજન કરાયું છે. એટલું નહિ સમૂહલગ્નમાં દીકરીઓને પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ મળી રૂપિયા 2 લાખ ઉપરાંતનો કરીયાવર અપાશે.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने भावनगर में सामूहिक शादी कार्यक्रम 'पापा नी परी' लग्नोत्सव-2022 में हिस्सा लिया। pic.twitter.com/8CnGn2ipWZ
વડાપ્રધાન મોદીએ વલસાડ જિલ્લાની લીધી હતી મુલાકાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કપરાડા તાલુકાના નાનાપોંઢામાં PM મોદીએ સભા સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ ભાજપની સરકાર બનાવવાનું અને જૂના રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે. આજ વખતે ગુજરાત ભાજપ મને કેસે એટલો સમય હું આપીશ. ચૂંટણીમાં નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકૉર્ડ જોરદાર હોવા જોઈએ. તેમ pm મોદીએ જણાવ્યું હતું.મોદીએ માંગ કરતા જણાવ્યું કે આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે. જેમાં તમે સાથ આપજો. વધુમાં મારી ABCD જ શરૂ થાય જેમાં મારા માટે A FOR આદિવાસી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેઑ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા.